સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ચિત્રા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ઉઘઈંગૠ ઇઞજઈંગઊજજ અગઉ ઙછઘઋઊજજઈંઘગ અજ ઢઅૠગઅ (જઅઈછઈંઋઈંઈ) વિષય અંતર્ગત સેમીનાર યોજાયો હતો.
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ચિત્રા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનાસંયુક્ત ઉપક્રમે ઉઘઈંગૠ ઇઞજઈંગઊજજ અગઉ ઙછઘઋઊજજઈંઘગ અજ ઢઅૠગઅ (જઅઈછઈંઋઈંઈ) એ વિષય અંતર્ગત બ્રહ્માકુમારી ડો.જયંતીદીદી લંડનના સુંદર આધ્યાત્મિક મોટીવેશનલ સ્પીચનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમના પ્રારંભમાં સૌરાષ્ટ્ર ચેમ્બરના પ્રમુખ પ્રકાશભાઈ ગોરસિયાએ શબ્દિક સ્વાગત કરેલ. વક્તા ડો.જયંતીદીદીનો પરિચય બ્રહ્માકુમાર રમેશભાઈએ આપેલ.બ્રહ્માકુમારી ડો.જયંતીદીદીએ તેમના પ્રેરણાત્મક વક્તવ્યમાં જણાવેલ કે બીઝનેસમાં ટ્રસ્ટીશીપની ભાવના હોવી ખુબ જરૂરી છે, સમાજ તથા દેશ પ્રેમને કેન્દ્રમાં રાખવો જોઈએ, ટીમ સ્પીરીટ, દાતાપણું, ક્ષમા, દયા, કરુણા, સમાનતા જેવા નૈતિક મુલ્યોની આવશ્યકતા ઉપર દીદીએ ભાર મુકેલ. મનને શાંત રાખવા માટે મેડીટેશનની જરૂરિયાત છે તેમ જણાવેલ તથા પ્રેક્ટીકલ મેડીટેશનનો અભ્યાસ કરાવેલ.બ્રહ્માકુમારી સંસ્થાના ગ્રામ્ય વિકાસ વિંગના ડાયરેક્ટર બ્રહ્માકુમારી સરલાદીદીએ શાશ્વત યોગિક ખેતીની આવશ્યકતા અને યોગિક ખેતી દ્વારા થતા ફાયદા જેમકે હેલ્થ અને વેલ્થ બંને પ્રાપ્ત થાય છે, જયારે રાસાયણિક ખેતી દ્વારા અર્થાત રાસાયણિક ખાતર તેમજ રાસાયણિક દવાઓ દ્વારા જીવંત સૃષ્ટીનો નાશ થાય છે તેમજ અનેક રોગોનો ભોગ બનવું પડે છે. જયારે યોગિક ખેતી દ્વારા ફરીથી જીવંત સૃષ્ટીનું નિર્માણ કરી શકાય છે જે આજના સમયની માંગ છે.
સમગ્ર કાર્યક્રમના અંતે આભારવિધિ ચિત્રા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ દીલીપભાઈ કામાણીએ કરેલ જયારે કાર્યક્રમનું સુપેરે સંચાલન ચેમ્બરના મીતેશભાઈ પટેલે કરેલ. આ પ્રસંગે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ચિત્રા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોદેદારો અને કારોબારીસભ્યોતથા વિશાળ સંખ્યામાં વેપાર-ઉધોગના પ્રતિનિધિઓ અને બુદ્ધિજીવીઓ ઉપસ્થિતરહેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech