પહેલગામમાં આતંકી હુમલાની ઘટના વચ્ચે રાજકોટ એનએસજી દ્વારા ખાસ ટ્રેનિગ અપાઇ

  • April 25, 2025 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
પહેલગામમાં આતંકી હુમલાની ઘટના બાદ દેશભરમાં સુરક્ષા તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે.સૌરાષ્ટ્રમાં પણ મંદિરોમાં સુરક્ષામાં વધારો કરાયો છે. શ્રધ્ધાળુઓનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.આ વચ્ચે રાજકોટમાં પોલીસ હેડ કવાર્ટરમાં એનએસજી કમાન્ડો દ્વારા ખાસ ટ્રેનિંગ સેશન યોજાયું હતું.જેમાં રાજકોટ શહેર ઉપરાંત રાજકોટ ગ્રામ્ય,મોરબી,સુરેન્દ્રનગરના પીઆઇને સુરક્ષાની દ્રષ્ટિએ કટોકટી સ્થિતિમાં કેવી રીતે ત્વરિત કામગીરી કરવી સહિતની તાલીમ આપવામાં આવી હતી.


આજરોજ પોલીસ હેડ કવાર્ટરમાં એનએસજી દ્વારા ટ્રેનિંગ સેશનનું યોજાયું હતું.જેમાં રાજકોટ શહેર ઉપરાંત રાજકોટ ગ્રામ્ય અને મોરબી તથા સુરેન્દ્રનગરના હથિયારધારી પીઆઇતે તાલિમ આપવામાં આવી હતી.જેમાં જયારે સુરક્ષા દ્રષ્ટિએ કોઇ કટોકટીભરી સ્થિતિ થાય ત્યારે પોલીસે ત્વરીત કેવી રીતે પગલાં ભરવા? કેવા પગલાં લેવા? સહિતની તાલિમ આપવામાં આવી હતી.


અત્રે ઉલ્લેનીય છે કે, કાશ્મીરમાં પહેલગામમાં આંતકી હુમલાની ઘટના બાદ સેન્ટ્રલ આઇ.બી.ની ઇનપુટના આધારે દેશના અન્ય ભાગો સહિત ગુજરાતને હાઇ એલર્ટ પર મુકી દેવાયું છે. ખાસ કરીને જયાં દેશભરમાંથી દર્શનાર્થીઓ આવતા હોય તે દ્વારકા,સોમનાથ અને અંબાજી મંદિર તથા જયાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય તે સ્ટેચ્યુ યુનિટિ સહિતના સ્થોળોએ વિશેષ કાળજી રાખવા પોલીસ કમિશનર, રેન્જ આઇ.જી અને જિલ્લા પોલીસ વડા દ્વારા લેવામાં આવી રહી છે. આ વચ્ચે આજરોજ રાજકોટમાં એનએસજી કમાન્ડર દ્વારા ખાસ ટ્રેનિંગ સેશન યોજાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application