રાજકોટમાં રહેતા સોની વેપારી અશ્વિન આડેસરાએ લીંબડી ખાતે કેટલાક વેપારીઓના ત્રાસથી આપઘાત કરી લીધો હતો. ત્યાર બાદ પ્રહલાદ પ્લોટમાં થયેલી મારામારી પ્રકરણમાં આરોપી ધર્મેશ પારેખે પોતે નિર્દેાષ હોવાનું અને તેને આ પ્રકરણમાં ખોટી રીતે સંડોવી દીધાનો દાવો કર્યેા છે.સાથોસાથ તેણે મૃતકના પરિવારજનો અને આરોપીઓનો નાર્કેા ટેસ્ટ કરવામાં આવે તેવી માંગણી પણ કરી હતી.
શ્રમજીવી સોસાયટીમાં રહેતા તેજસભાઈ વિનોદરાય આડેસરા (ઉ.વ.૪૧)એ તેના અને તેના પીતરાઇ ભાઇ હિરેન પર હત્પમલો કર્યા અંગે એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ધર્મેશ ભરત પારેખ, સુજલ ધર્મેશ પારેખ, આર્યન ધર્મેશ પારેખ, ધર્મેશનો ભાણેજ, ધર્મેશના બહેન અને ધર્મેશના બનેવીના નામ આપ્યા હતા. આ પ્રકરણમાં ધર્મેશ ભરત પારેખે આજે પત્રકાર પરિષદ સંબોધી દાવો કર્યેા હતો કે આ પ્રકરણમાં તેને ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યો છે. ધર્મેશ પારેખે આ અંગે ખુલાસો કરી વાસ્તવિકતા જણાવતા કહ્યું હતું કે, મને અને મારા લાગતાવળગતાને ખોટી રીતે ફસાવી બદનામ કરવામાં આવી રહ્યા છે. હત્પં નિર્દેાષ છું તેના અનેક પુરાવાઓ છે. વધુમાં ધર્મેશ પારેખે જણાવ્યું હતું કે, તેઓ સમગ્ર મામલે નિર્દેાષ છે. આ પ્રકરણમાં કોઈ જ કારણ વગર તેમનું નામ લઈ તેમને બદનામ કરવામાં આવી રહ્યા છે. આ ઘટનામાં મૃતકના પરિવારજનો અને આરોપીઓનું નાર્કેા ટેસ્ટ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech