સોનાક્ષી સિન્હા બોલિવૂડની સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે. સોનાક્ષી છેલ્લે સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ 'હીરામંડી'માં જોવા મળી હતી. 'હીરામંડી'માં ફરીદાનના રોલ માટે અભિનેત્રીને ઘણી પ્રશંસા મળી છે. સોનાક્ષીના અંગત જીવન વિશે અફવા ફેલાઈ રહી છે કે અભિનેત્રી 23 જૂન, 2024ના રોજ બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. જો કે કપલે હજુ સુધી તેમના લગ્નને લઈને સત્તાવાર રીતે કંઈપણ જાહેર કર્યું નથી પરંતુ ઘણા સેલેબ્સે પુષ્ટિ કરી છે કે સોનાક્ષી-ઝહીર લગ્ન કરી રહ્યા છે.
ત્યારે લગ્નના ફંક્શન શરૂ થઈ ગયા છે. સોમવારે કપલે બેચલર પાર્ટીનો આનંદ માણ્યો હતો, જેની તસવીરો તેઓએ તેમના સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી.
હલ્દી ફંક્શન ક્યારે છે?
23 જૂને સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નને લઈને ચાહકો પણ ખૂબ જ ઉત્સાહિત છે અને કપલના લગ્ન સંબંધિત દરેક અપડેટ જાણવા માંગે છે. સોનાક્ષી અને ઝહીરના ઓડિયો ઇન્વાઇટ, વેન્યુ અને ગેસ્ટ લિસ્ટ લીક થયા બાદ હવે તેમના પ્રી-વેડિંગ ફંક્શનની વિગતો પણ સામે આવી છે. કપલ 20 જૂને તેમના હલ્દી ફંક્શન કરી શકે છે.
અહેવાલ મુજબ, સૂત્રએ જણાવ્યું હતું કે હલ્દી ફંક્શન સોનાક્ષીના બાંદ્રામાં નવા ઘરમાં યોજાશે. જે તેણે તાજેતરમાં તેના માતાપિતાનું ઘર છોડ્યા પછી ખરીદ્યું છે. આ ફંક્શનમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારજનો જ હાજરી આપશે અને સમારોહ માટે 50થી ઓછા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેથી જ સોનાના ઘરને હલ્દી ફંક્શન માટે પસંદ કરવામાં આવ્યું છે.
ભવ્ય રિસેપ્શન પાર્ટીનું કરશે આયોજન
રિપોર્ટ અનુસાર, સૂત્રએ એમ પણ કહ્યું કે જ્યારથી સોનાક્ષી-ઝહીરે તેમના લગ્નની યોજના શરૂ કરી છે. ત્યારથી તેઓ તેને ખાનગી રાખવા માંગે છે. જોકે તે એક ભવ્ય રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે. સૂત્રએ કહ્યું કે અલબત્ત, તેઓ તેમના ઇન્ડસ્ટ્રીના મિત્રો સાથે ઉજવણી કરવા માંગે છે, તેથી રીસેપ્શન ખુબ મોટું હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : આજી નદી 2માં ગાંડીવેલનું સામ્રાજય, દૂર કરવા માટે મનપાએ હાથ ધરી કામગીરી
February 24, 2025 12:58 PMજન્મ લેનાર દરેક બાળકના નામ સાથે રાજકોટ મનપા વાવશે વૃક્ષ, વાલીને મોકલાશે તમામ અપડેટ
February 24, 2025 12:43 PMજામ ખંભાળીયામાં જલારામ બાપાની 144મી પુણ્યતિથિ ઉજવાઇ
February 24, 2025 12:37 PMજામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભારતના જીતની જશ્ન સાથે ઉજવણી
February 24, 2025 12:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech