એક સમય એવો હતો જ્યારે નાના પડદા પર તેમના મૃત્યુ પછી એક પાત્રનું પુનરાગમન દર્શકો માટે મોટો આંચકો હતો. શોના મુખ્ય પાત્રની વાપસી ટીઆરપી રેટને ખૂબ જ હાઈ લેવલ પર લઇ જતી હતી. 12-15 વર્ષ પહેલા લોકોને વારેવારે મરીને ફરીથી જીવતા થતા મુખ્ય પાત્રો પસંદ હતા પરંતુ નાના પડદાની દુનિયામાં બેઠેલા લેખકો હજુ પણ એ જૂની યુક્તિ અપનાવી રહ્યા છે. આટલું જ નહીં તેની આ ટ્રિક તેના માટે કામ પણ આવે છે. હવે ‘અનુપમા’ સીરીયલમાં પણ આવું જ જોવા મળી રહ્યું છે. જ્યારે પણ શોની ટીઆરપીમાં ઘટાડો થાય છે ત્યારે મેકર્સ ક્યારેક અનુજ કાપડિયા તો ક્યારેક વનરાજ શાહના મોતના સંકેતો આપવા લાગે છે.
'અનુપમા' ઘણીવાર TRP રેસમાં નંબર 1 પોઝિશન પર હોય છે. તાજેતરમાં આ શોએ લોકોનું ધ્યાન વધુ આકર્ષિત કર્યું જ્યારે નિર્માતાઓએ અનુપમાના મૃત્યુને શોમાં બતાવવાનું નક્કી કર્યું. એક તરફ વનરાજ શાહ એટલે કે સુધાંશુ પાંડેનું શોમાંથી બહાર થવું અને બીજી તરફ અનુજ અને અનુપમાના મૃત્યુની કહાની બતાવવી. આ બધું એકસાથે જોઈને 'અનુપમા'ના ચાહકો દુઃખી થઈ ગયા. શોના લેખકે તેની વાર્તામાં અનુપમા અને અનુજના પ્રેમનો અંત સુંદર રીતે દર્શાવ્યો હતો પરંતુ સિરિયલની વાર્તામાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા પછી અનુપમાને જીવતી કરવામાં આવી.
અનુપમાને કેવી રીતે જીવંત કરવામાં આવી?
ટીવીની દુનિયામાં કંઈપણ શક્ય છે...ઘણી વખત વાર્તાને તર્ક અને વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા હોતા નથી. અનુપમા વિશે પહેલા ડૉક્ટરે કહ્યું કે વધારે અપેક્ષા ન રાખવી જોઈએ, તેના માટે બચવું મુશ્કેલ છે. આ સાંભળીને બધા અનુપમાનો જીવ બચાવવા પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. બાપુજી ભગવાનને યાદ કરવા લાગ્યા. અનુજ મંદિરે પહોંચી ભગવાનને ફરિયાદ કરવા લાગ્યો. અનુપમાના ભૂતપૂર્વ સાસુ જેમને તે હવે તેની માતા માને છે. તેણે પણ ભગવાન કૃષ્ણને તેના જીવન માટે પૂછવાનું શરૂ કર્યું. આધ્યા પોતાની ભૂલો માટે માફી માંગવા લાગી. પહેલા તો આ બધી પ્રાર્થનાઓ પણ કામ ન લાગી… કારણ કે ડોક્ટર બહાર આવ્યા અને કહ્યું કે હવે અનુપમા કોમામાં ચાલી ગઈ છે. ફરી એકવાર આખો પરિવાર તૂટી ગયો.
અનુપમાની રિકવરીમાં કોનો હાથ હતો?
હવે એ જાણવું જરૂરી છે કે અનુપમાનો ઈલાજ કરવામાં સૌથી મોટી ભૂમિકા કોની હતી. પ્રથમ શોના લેખકની અને બીજા ક્રમે અનુજ કાપડિયા છે. અનુજનો પ્રેમ અને તેણે હાથમાંથી લોહી નીકળવા લાગ્યું ત્યાં સુધી ભગવાનની સામે ઘંટ વગાડ્યો હતો. ભગવાને અનુજની વાત સાંભળી અને તેને કહ્યું કે તે અને અનુપમા ચોક્કસપણે એક થઈ જશે. વેન્ટિલેટર પર પડેલી અનુપમાના હૃદય સુધી અનુજનો અવાજ પહોંચે છે અને તે સ્વસ્થ થઈ જાય છે. અનુપમાને મૃત જાહેર કરનાર ડૉક્ટર ચમત્કાર-ચમત્કાર કહેવા લાગ્યા. લેખકો અને નિર્માતાઓની આ સ્ટોરી લાઇન ભલે જલેબી જેવી સીધી હોય, પરંતુ ચાહકોના દિલ પર તેની ઊંડી અસર થઇ હતી.
ટીવી પર અનુપમાના મૃત્યુને જોયા બાદ શોના વફાદાર ચાહકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. જો કે નિર્માતાઓ વર્ષોથી મુખ્ય સ્ટારના મૃત્યુની રમત રમી રહ્યા છે. શોની શરૂઆતમાં જ્યારે અનુપમા અને અનુજનો પ્રેમ ખીલી રહ્યો હતો ત્યારે અનુજના મૃત્યુ વિશે વારંવાર સંકેતો આપવામાં આવ્યા હતા. પરંતુ જેમ અનુજ સીન પર પાછો ફર્યો, ટીઆરપી પૂરજોશમાં આવી ગઈ. હવે નિર્માતાઓને મૃત્યુની વાર્તાનો લાભ મળી રહ્યો છે. તેથી તેઓ ચોક્કસપણે તેમના આ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરશે અને વારંવાર કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ગુનાખોરીને અટકાવવા પોલીસની નાઇટ ટ્રાફિક ડ્રાઇવ
May 14, 2025 11:18 AMશ્રીનગરમાં 11 સ્થળોએ 150 આતંકીઓના ઘરો પર દરોડા
May 14, 2025 11:15 AMજામનગર શહેરમાં કારમાં દારૂની હેરાફેરી કરતા ત્રણને પકડી પાડતી LCB પોલીસ
May 14, 2025 11:15 AMહવે દર વર્ષે 23 સપ્ટેમ્બરે આયુર્વેદ દિવસ ઉજવાશે
May 14, 2025 11:13 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech