ટેકનિકલ કારણોસર રાજકોટ રેલવેની કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર: જાણો સમગ્ર વિગત

  • May 17, 2023 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટેકનિકલ કારણોના લીધે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ર્ચિમ રેલવે દ્વારા રાજકોટ રેલવે વિભાગમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલકુમાર મીનાના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર ૨૨૭૧૮ સિકંદરાબાદ-રાજકોટ સુપરફાસ્ટ એકસપ્રેસ ૨૨ મેથી સુરેન્દ્રનગરથી બપોરે ૩.૩૩ના બદલે ૩.૫૧ વાગ્યે, વાંકાનેરથી બપોરે ૪.૩૯ વાગ્યાના બદલે ૪.૪૮ વાગ્યે અને રાજકોટથી સાંજે ૫.૫૦ વાગ્યે ઉપડશે.


ટ્રેન નંબર ૧૯૨૦૧ સિકંદરાબાદ-પોરબંદર એકસપ્રેસ ૨૪ મેથી સુરેન્દ્રનગરથી બપોરે ૩.૩૩ વાગ્યાના બદલે ૩.૫૧ વાગ્યે અને રાજકોટથી બપોરે ૫.૩૨ વાગ્યે ઉપડશે. જયારે ટ્રેન નંબર ૧૬૬૧૪ કોઈમ્બતુર-રાજકોટ એકસપ્રેસ ૨૬ મેથી સુરેન્દ્રનગર સ્ટેશનથી બપોરે ૩.૩૩ના બદલે ૩.૫૧ વાગ્યે અને રાજકોટ સ્ટેશનથી ૫.૫૦ વાગ્યે ઉપડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application