દાનપેટીની રકમ તથા ચાંદીની નાની મોટી મૂર્તિઓ મળી ૯૬ હજારની ચોરી
જોડીયા તાલુકાના કોઠારીયા ગામથી આમરણ તરફ જતા કાચા રસ્તા પર આવેલા ભાથીજી મહારાજના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા, અને દાન પેટીની રકમ તથા પાંચ નંગ ચાંદીના નાગ અને મૂર્તિ સહિત રુા. ૯૬ હજારની માલમતાની ચોરી કરી ગયાની પોલીસમાં અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે.
જોડિયા તાલુકાના કોઠારીયા ગામમાં રહીને ખેતી કામ કરતા તેમજ ભાથીજી મહારાજના મંદિરમાં સેવા પૂજા કરતા ધર્મેન્દ્રભાઈ વિનોદભાઈ રેશિયાએ જોડીયા પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે, અને કોઈ તસ્કરોએ રાત્રિ દરમિયાન ભાથીજી મહારાજના મંદિરના દરવાજાનું તાળું તોડી અંદર રાખેલા ચાંદીના નાગ તથા નાની મોટી મૂર્તિઓ વગેરે મળી રુા. ૯૧ હજારના આભૂષણો ની ચોરી કરી હતી.
જ્યારે મંદિરમાં રાખેલી દાનપેટીના પણ તાળા તોડી તેમાંથી ૫,૦૦૦ના પરચુરણની ચોરી કરી લઈ ગયા હતા, જેથી કુલ ૯૬,૦૧૩ની માલમતાની ચોરી અંગે જોડીયા પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે.
જે ફરિયાદના અનુસંધાને જોડિયા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એલ. ઝાલા તેમના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી જઇ અને પ્રાથમિક વિગતોના આધારે તપાસ હાથ ધરી હતી, મંદિરમાં ચોરી થયાનો બનાવ સામે આવતા ભાવિકોમાં રોષની લાગણી ફેલાઇ ગઇ હતી, ઉલ્લેખનીય છે કે ઠંડીના દિવસોમાં તસ્કરો જુદા જુદા વિસ્તારોમાં હાથફેરો કરી રહયા છે ત્યારે વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહિલા મૂવી જોતી રહી અને ડોકટરોએ કરી મગજની સર્જરી
September 20, 2024 12:50 PMસરકારના ૫૪૩ ભ્રષ્ટ્રાચારી અધિકારી અને કર્મચારીઓ સામે કાર્યવાહીની મંજૂરી બાકી
September 20, 2024 12:49 PMદુષ્કર્મની ફરિયાદ કરવા આવેલી આર્મી ઓફિસરની મંગેતરને મારપિટ કરી પોલીસે આપી રેપની ધમકી
September 20, 2024 12:44 PMત્રિલોકપુરીમાં મોટી દુર્ઘટના ટળી, રસ્તાની વચ્ચોવચ કાર સમાઈ જાય એવડો મોટો ખાડો પડ્યો
September 20, 2024 12:44 PMબાંટવાના બોગસ લૂંટ મામલે 1.92 કરોડનો મુદ્દામાલ સોની વેપારીને સુપરત
September 20, 2024 12:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech