રાજકોટના બહુચર્ચિત ટી આર પી ગેમ ઝોન કાંડમાં સરકાર તરફથી અધિકારીઓ સામે થઈ રહેલી કાર્યવાહી અત્યતં ગોકળ ગાય ગતિએ ચાલી રહી હોવાનું હાઇકોર્ટે નોંધ્યું છે આ ઉપરાંત રાજય સરકારે તો પીડિતોને વળતર આપી દીધું છે હવે ગેમ ઝોન માલિક અને અધિકારીઓ પાસેથી વધારાના વળતરની રકમ વસૂલવામાં આવે તેવી ટકોર કરવામાં આવી છે.
રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં ૨૭ નિર્દેાષ લોકોના ભડથું થઇ જવાના ચકચારભર્યા પ્રકરણમાં ભોગ બનનાર પરિવારજનોએ વધારાના વળતરની માગણી કરતા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સુનીતા અગ્રવાલ અને જસ્ટીસ જજ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે રાય સરકાર દ્રારા અને કેન્દ્ર સરકાર દ્રારા તો વળતર આપવામાં જ આવેલું છે ત્યારે હવે જો વધારાનું વળતર માંગવામાં આવ્યું છે ત્યારે આ વળતરની રકમ ગેમ ઝોનના માલિકો તેમજ આ કિસ્સામાં જવાબદાર અધિકારીઓ પાસેથી વસૂલ કરવું જોઈએ.
બીજી બાજુ હાઇકોર્ટ એવી પણ ટકોર કરી હતી કે અધિકારીઓ સામેની ખાતાકીય કાર્યવાહી ગોકળગતીએ ચાલી રહી છે અને જો તેઓ જેલમાં હશે તો તેઓની સામેની કાર્યવાહી વિડીયો કોન્ફરન્સથી પણ થવી જોઈએ. પરંતુ બને એટલી જલ્દી આ કાર્યવાહી પૂરી કરવી જોઈએ નહીં તો તેઓ વિલંબનો લાભ લઈને છૂટી જાય તેવી શકયતાઓ છે.
રાજકોટ ટીઆરપી ઝોન માં થયેલા અિકાંડના કેસની સુનાવણી નીકળતા પીડીતોના વકીલ તરથી રજૂઆત કરવામાં આવી હતી કે તેઓને રાય સરકાર તરથી પિયા ચાર લાખ અને પીએમ રાહત ફડં માંથી પિયા બે લાખનું વળતર આપવામાં આવેલું છે, પરંતુ તેઓને વધુ વળતર મળવું જોઈએ. આથી ચીફ જસ્ટિસ દ્રારા ટકોર કરવામાં આવી હતી કે આ કિસ્સામાં મુખ્ય દોષિત તો ગેમ ઝોનના માલિક અને તેઓને મુકિત આપીને ચલાવવા દેનાર ફાયર અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશનના અધિકારીઓ છે તો તેઓની સામેથી આ વળતરની વસુલાત થવી જોઈએ. આ વળતરની વસુલાત ત્યારે જ થઈ શકશે કે યારે તેઓની સામે ખાતાકીય કાર્યવાહી પૂર્ણ થશે અને તેઓ આ બાબતે જવાબદાર ઠરશે. સરકારે રજૂઆત કરી કે અધિકારીઓ સામે પોલીસ કેસ થયો હોવાથી તેઓ જેલમાં હોવાથી ખાતાકીય તપાસ થઈ શકી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech