પાકિસ્તાનમાં પીટીઆઈના પ્રમુખ સહિત ૧૧ સાંસદોની સંસદમાંથી કરાઈ ધરપકડ

  • September 10, 2024 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાકિસ્તાનમાં ફરી એકવાર અરાજકતાનો માહોલ છે. સરકારે માર્શલ લો જેવી કડક કાર્યવાહી કરીને ગઈકાલે રાત્રે ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના સાંસદોની ધરપકડ કરવાનું શ કયુ. અત્યાર સુધીમાં પીટીઆઈના ૧૧ અગ્રણી નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાન તહરીક–એ–ઈન્સાફના પ્રમુખ અને સાંસદ બેરિસ્ટર ગૌહર ખાનની પણ ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે તેની નેશનલ એસેમ્બલીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. એક દિવસ પહેલા પીટીઆઈના કાર્યકરો અને નેતાઓએ ઈસ્લામાબાદમાં રેલી યોજી હતી અને ઈમરાન ખાનને જેલમાંથી મુકત કરવાની માંગ કરી હતી. પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડા હતા. અહેવાલો મુજબ આગામી અઠવાડિયામાં પાકિસ્તાન સરકારની મુશ્કેલીઓ વધી શકે છે. પીટીઆઈના સાંસદ શેર અફઝલ મારવતની સંસદ ભવનમાંથી બહાર આવતાની સાથે જ અન્ય સાંસદો સાથે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે મારવતને ધક્કો માર્યેા, તેને ખેંચી ગયા અને બળજબરીથી કારમાં બેસાડા. ધરપકડ દરમિયાન તેણે કહ્યું કે અમે ઈમરાન ખાન સાથે છીએ.
પાકિસ્તાની અખબાર ડોનના અહેવાલ મુજબ, એક પોલીસ અધિકારીએ પુષ્ટ્રિ કરી છે કે પીટીઆઈના નેતાઓ બેરિસ્ટર ગોહર, શેર અફઝલ ખાન મારવત અને અન્યની ગઈકાલે રાત્રે સંસદની બહારથી ઈસ્લામાબાદ પોલીસે ધરપકડ કરી હતી. ઈસ્લામાબાદ પોલીસના પ્રવકતા જવાદ તકીએ જણાવ્યું કે મારવત, શોએબ શાહીન અને બેરિસ્ટર ગોહરની ધરપકડ કરવામાં આવી છે.
પાકિસ્તાનના સૂચના મંત્રી અત્તા તરારએ કહ્યું કે જેલમાં બધં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સૈન્ય ટ્રાયલ અંગે કોઈપણ નિર્ણય કેસની યોગ્યતાને ધ્યાનમાં લઈને લેવામાં આવશે. ઇમરાનની પાર્ટીએ રવિવારે શકિત પ્રદર્શન કયુ હતું, તેની તાત્કાલિક મુકિતની માંગણી કરી હતી અને પાર્ટી પરના ક્રેકડાઉન માટે સરકારની ટીકા કરી હતી. પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડા હતા.


પીટીઆઈએ ધરપકડને લોકશાહી પર હુમલો ગણાવી
પીટીઆઈએ પાર્ટી અધ્યક્ષ બેરિસ્ટર ગૌહર ખાનની ધરપકડને 'ગેરકાયદેસર' ગણાવીને વખોડી કાઢી. પાર્ટીએ કહ્યું, આ સંસદ માટે શરમજનક ક્ષણ છે આને પાકિસ્તાનમાં લોકશાહી પર સીધો હુમલો ગણવો જોઈએ. સંસદના આવા અપમાનને મંજૂરી આપવા માટે નેશનલ એસેમ્બલીના સ્પીકરને શરમ આવવી જોઈએ. પીટીઆઈએ કહ્યું, પાકિસ્તાન અઘોષિત માર્શલ લોમાં વધુ સરકી ગયું છે.

પીટીઆઈ નેતા ખાલિદ ખુર્શીદની પણ ધરપકડ
સીસીટીવી ફટેજમાં જોવા મળ્યું છે કે પીટીઆઈ નેતા શોએબ શાહીનની પણ ઈસ્લામાબાદથી ધરપકડ કરવામાં આવી છે. તેમની ઓફિસના કેટલાક લોકોએ પહેલા હાથ મિલાવ્યા અને પછી થોડીવાર પછી એ જ લોકોએ તેમને ધક્કો મારીને દૂર કરી દીધા. પીટીઆઈ નેતા નઈમ પંજુથાના જણાવ્યા અનુસાર ગિલગિટ બાલ્ટિસ્તાનના પૂર્વ સીએમ અને પીટીઆઈ નેતા ખાલિદ ખુર્શીદની પણ ધરપકડ કરવામાં આવી છે.

પાકિસ્તાન સરકારને ચેતવણી અપાઈ
ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગાંડાપુરે એક ડગલું આગળ વધીને સરકારને ચેતવણી આપી હતી કે બે અઠવાડિયાની અંદર ઈમરાન ખાનને મુકત કરે નહીંતર પાર્ટી તેમને બળજબરીથી મુકત કરશે. મુખ્યમંત્રીએ કહ્યું, જો પીટીઆઈના સ્થાપકને એકથી બે અઠવાડિયામાં કાયદેસર રીતે મુકત કરવામાં નહીં આવે તો અમે તેમને જાતે જ મુકત કરાવીશું. તેણે જાહેરાત કરી છે કે ઈમરાનને જેલમાંથી બહાર કાઢવા માટે તે આગળ વધીને પ્રથમ ગોળી લેશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application