ભુતનાથ મંદિરના મહતં મહેશ ગીરી બાપુના જણાવ્યા મુજબ રાજકોટમાં નિર્મળ સંદીપ રમેશ ઉર્ફે શિવગીરી દ્રારા જે બિલ જાહેર કરવામાં આવ્યું છે તેમના મત મુજબ વસતં ગીરીબાપુના શિષ્ય છે અને તેઓ કરીને મહતં તરીકે ઘોષિત કર્યા છે તે બાબત પાયા વિહોણી હોવાનું જણાવી હતી અને આગામી સમયમાં પુરાવા રજૂ કરીશ. ખરેખર જે વીલ જાહેર કરવામાં આવ્યું છે તે વસતં ગીરી બાપુ ના હોસ્પિટલમાં દાખલ કરાયેલા અને તેના બ્રેઇન સર્જરી કરવામાં આવી હતી તે પછી બનાવવામાં આવ્યું છે. અને સર્જરી પછી હોસ્પિટલના ન્યુરોસર્જન દ્રારા સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે કે બાપુની હાલત એટલી હદે ગંભીર છે કે તેઓની સર્જરી પછી મસ્તિષ્કના તંતુઓ અને નળીઓ કાપી નાખવામાં આવી છે જેથી તેઓ કાંઈ નિર્ણય નહીં લઈ શકે. જેથી સહી કે અંગૂઠો મારી શકે તેવી સ્થિતિમાં ન હતા.
સર્ટીફીકેટ સાથે ટ્રસ્ટ દ્રારા પણ એક ફરિયાદ કરવામાં આવી છે તે બાબતની કદાચ શિવગીરીને ખ્યાલ નહિ હોય આ બાબતે તેમની પાસે અધુરા સત્ય સાથેના કાગળો છે આગામી દિવસોમાં હત્પં પૂરા કાગડો સાથે સમગ્ર બાબત જાણ કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી આપીશ.
શિવગીરી અડધો લાખ પિયા લઇ અન્ય ટ્રસ્ટીઓની હાજરીમાં જગ્યા છોડીને જતા રહ્યા છે. જો ખોટું થયું હોય તો ત્યારે પોલીસ કેમ ના બોલાવી અને કેવીટીમાં કેમ ફરિયાદ ન કરી. મહેશ ગીરીબાપુ જુનાગઢ ના પૂર્વ ડેપ્યુટી મેયર સામે પણ શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેઓના જણાવ્યા મુજબ ભવનાથ મંદિરમાં કબજો કરવો હતો પરંતુ આવ્યા નહીં હવે ભૂતનાથ મંદિરમાં કબજો કરવા નીકળ્યા છે પરંતુ તેની પાસે કોઈ કાગળ નથી અને આગામી દિવસોમાં અભ્યાસ ભુવન અને મયારામ આશ્રમમાં ખોટી રીતે ટ્રસ્ટી તરીકે ઘુસાડવામાં આવ્યા છે. તે કાગળ રજૂ કરશે. આમ હવે ભૂતનાથ મંદિરના મહતં પદે પણ વધુ એક વિવાદ વકરવાની ભિતી સેવાઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાનો ચીન પર ટેરિફનો સપાટો: 104% ટેરિફ લાગુ, વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા
April 08, 2025 10:40 PMબાંગ્લાદેશીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા પરંતુ નહીં કરી શકે હજ, યુનુસની પ્રજા સાથે થયો અલગ જ ખેલ
April 08, 2025 10:31 PMઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMગુજરાત પોલીસમાં બદલીઓનો દોર યથાવત, 182 PSIની બદલીના આદેશ
April 08, 2025 09:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech