જામજોધપુર ટાઉન અને નંદાણા ગામની બે પરણીતાને સીતમ

  • September 04, 2024 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બન્નેએ સસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી


જામજોધપુર ટાઉન તેમજ નંદાણા ગામમાં રહેતી બે પરણેતાએ પોતાના સાસરિયાઓ સામે મારકુટ અને ત્રાસ  અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંનેના સાસરીયાઓ સામે ગુનો નોંધ્યો છે.


જામજોધપુર ટાઉનમાં રહેતી માધુરીબેન રવિભાઈ કવૈયા નામની ૨૩ વર્ષની લુહાર જ્ઞાતિ ની યુવતીએ પોતાના સાસરિયાઓ સામે મારકુટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢવા અંગે પોતાના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.


જે ફરિયાદના અનુસંધાને જામજોધપુર પોલીસે માધુરીબેનના સાસરિયાઓ પતિ રવિભાઈ વિજયભાઈ કવૈયા, તેમજ સસરા વિજયભાઈ લીલાધરભાઇ કવૈયા, સાસુ પ્રજ્ઞાબેન  તેમજ નણંદ શિલ્પાબેન પ્રકાશભાઈ હરસોરા સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધ્યો છે.


જામજોધપુર તાલુકાના નંદાણા ગામમાં રહેતી પૂનમબેન હરેશભાઈ કંડોરીયા નામની પરણીતા એ પણ પોતાના સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે સાસરાપક્ષના સભ્યો પતિ હરેશભાઈ ફરવાભાઈ કંડોરીયા સસરા વરવાભાઈ દાનાભાઈ કંડોરીયા તેમજ કારુભાઈ દાનાભાઈ, ભાવેશ વરવાભાઈ, બુદ્ધિબેન અરજણભાઈ, ભાનુબેન હરદાસભાઈ કંડોરીયા સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application