લોહાણા હિતેચ્છુક મહિલા મંડળની બહેનોએ પ્રજ્ઞાચક્ષુઓને કાંડે બાંધી રાખડી

  • August 22, 2024 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોહાણા હિતેચ્છુક મહિલા મંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુ ગુ‚કુળ ખાતે રક્ષાબંધનનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં પ્રમુખ  યામિનીબેન ધામેચા, માલતીબેન કકકડ, ગીતાબેન સીરોદરીયા, શીલાબેન ચોટાઇ, જયશ્રીબેન હિંડોચા તથા પ્રફુુલ્લાબેન ઠકરાર હાજર રહયા હતા અને રાખડી બાંધીને એવું જણાવ્યુ હતુ કે ભાઇ-બહેનના પવિત્ર પ્રેમના આ તહેવારમાં કોઇ સમય જોવાનો હોતો નથી. કોઇ નક્ષત્ર જોવાના  ના હોય. ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યુ હતુ કે દર વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રા નક્ષત્રનું તૂત ઉભુ કરીને ભાઇ-બહેનના પવિત્ર પ્રેમના તહેવારમાં લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે તે અયોગ્ય છે. રક્ષાબંધનની સાચી માહિતી સાથેની કથા પણ તેમણે વર્ણવી હતી. (તસ્વીર: જિજ્ઞેશ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application