હળાહળ કળીયુગની યાદ અપાવતો જધન્ય કિસ્સો: બે દિવસ પુર્વે રાત્રીના નશામાં ધુત બની કપાતરે હવસનો શિકાર બનાવી : પોલીસમાં ગુનો દાખલ : નરાધમ સામે ચોતરફથી ફીટકારની લાગણી : રાક્ષસી કૃત્ય કરનારની અટકાયત : પંથકમાં ખળભળાટ
હળાહળ કળીયુગની યાદ અપાવતો એક જધન્ય કિસ્સો જામનગર શહેરમાં બહાર આવતા ભારે ખળભળાટ મચી ગયો છે, અહીંના એક વિસ્તારમાં સગી માતા પર નશાની હાલતમાં કપાતરે દુષ્કર્મ આચર્યાનો મામલો પોલીસ મથકે પહોંચતા આરોપી નરાધમ પુત્ર સામે ચોતરફથી ફીટકાર વરશી રહયો છે, પોલીસ દ્વારા ફરીયાદના આધારે પાપી પુત્રની અટકાયત કરીને પુછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે, ઉલ્લેખનીય છે કે આજે મધર્સ-ડેની પુર્વે બનેલા આ બનાવથી સમાજમાં જાણે ભુકંપ આવ્યો હોય તેવું લાગી રહયું છે, હજુ ત્રણ-ચાર દિવસ પહેલા જ રાણાવાવમાં કપાતરે માતાને ઢોર માર મારીને ઢીમ ઢાળી દીધું હતું.
જાણવા મળતી વિગત મુજબ જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં માતા-પુત્રના પવિત્ર સબંધને શર્મસાર કરતો અને હળાહળ કળીયુગ આવી ગયો હોય એવી પ્રતીતી કરાવતો અને પંથકમાં ખળભળાટ મચાવનારો કિસ્સો સામે આવ્યો છે, બે દિવસ પુર્વે આઘેડ વયની માતા નિંદ્રાધીન થયા બાદ રાત્રીના નશાની હાલતમાં આવેલા નરાધમ પુત્રએ દુષ્કર્મ આચર્યુ હતું, ભોગ બનનાર ડઘાઇ અને હેબતાઇ ગયા હતા, એ પછી બીજા દિવસે પરિવારમાં વાત થઇ હતી અને મામલો સીટી-બી ડીવીઝન પોલીસ મથકે પહોચ્યો હતો, જયાં ભોગ બનનાર જનેતાએ કપાતર પુત્ર સામે દુષ્કર્મ આચર્યાની આપવીતી જણાવતા વિધિવત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
સીટી-બી પીઆઇ ઝાલા, પીએસઆઇ વાઢેર દ્વારા ફરીયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી, દરમ્યાનમાં કપાતરની અટકાયત કરી લેવામાં આવી છે અને સધન પુછતાછ હાથ ધરી છે, જયારે ભોગ બનનારને તબીબી પરીક્ષણ માટે લઇ જવામાં આવેલ, એવી પણ વિગત જાણવા મળી છે કે, રાક્ષસી કૃત્ય કરીને હવસ સંતોષનાર કપાતર પુત્ર અગાઉ મારામારી અને દારુના કેસમાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.આ બનાવ સામે આવતા આરોપી કપાતર સામે ચોતરફથી ફીટકારની લાગણી વરશી રહી છે અને કડકમાં કડક સજાની માંગણી કરવામાં આવી રહી છે, બનાવે જામનગર સહિત સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચાવ્યો છે. એવી પણ વિગતો સુત્રોમાંથી જાણવા મળી છે કે ભોગ બનનાર હિંમત એકઠી કરીને પોલીસ સ્ટેશને ફરીયાદ કરવા પહોંચતા અને આપવીતી જણાવતા એક તબકકે પોલીસ પણ મુંઝવણમાં મુકાઇ હતી અને પ્રાથમિક ખરાઇ કર્યા બાદ ગુનો નોંઘ્યો હતો, હૈયુ હચમચાવી મુકે તેવા આ કિસ્સાએ પવિત્ર સબંધોને લાંછન લગાડયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીજીપી વિકાસ સહાય દ્વારા ત્રણ PIને ફરજિયાત નિવૃત્તિનો આદેશ...જાણી લો કારણ
July 04, 2024 11:53 PMઆસામમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 56 લોકોના મોત, અરુણાચલમાં પણ 16 લાખથી વધુ અસરગ્રસ્ત
July 04, 2024 11:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech