ખંભાળિયામાં પરશુરામ જયંતિની સાદગીપૂર્વક ઉજવણી

  • April 28, 2025 11:30 AM 

પહેલગામ હુમલાના કારણે  નિર્ણય લેવાયો


બ્રહ્મ સમાજના આરાધ્ય ભગવાન શ્રી પરશુરામ દાદાની જયંતિ નિમિત્તે આગામી મંગળવારે તારીખ 29 એપ્રિલના રોજ ખંભાળિયામાં બ્રહ્મ સમાજ દ્વારા મહા આરતી સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદી હુમલો થતાં આ ઘટનામાં 27 જેટલા નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે. આ આતંકી હુમલાને ધ્યાનમાં લઈને ખંભાળિયા બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ દાદાની જન્મ જયંતિ ખૂબ જ સાદગીપૂર્વક યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.


જેમાં મંગળવાર તા. 29 ના રોજ સાંજે 7:30 વાગ્યે અત્રે મોરલી મંદિર પાસે આવેલી શ્રી રાજ્ય પુરોહિત જ્ઞાતિની વાડી ખાતે માત્ર મહા આરતી તેમજ દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું આયોજન કરાયું આવ્યું છે. જેમાં બ્રહ્મ સમાજના જ્ઞાતિજનોએ સહભાગી થઈ અને સદગતના આત્માને શાંતિ મળે તેવી શ્રી પરશુરામ દાદાને પ્રાર્થના કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application