બર્ફીલા પહાડો વચ્ચે બૉલીવુડના હોટ કપલે નવું વર્ષ ઉજવ્યું
દરેક લોકોએ નવા વર્ષ 2024ને પોતાની સ્ટાઇલમાં આવકાર્યું છે. એવામાં 2023 માં લગ્નના તાંતણે બંધાયેલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ પણ ન્યુ યર સેલિબ્રેશનની તસવીર શેર કરી છે.આ કપલ સ્વિટ્ઝર્લેન્ડની હસીન વાદીઓમાં પહોચ્યું હતું અને સિદ્ધાર્થ અને કિયારાએ ત્યાં વેકેશન મનાવ્યું હતું.કપલે 2024માં બરફથી ઢંકાયેલા પર્વતો વચ્ચે સ્કી કરવાનું નક્કી કર્યું.
નવું વર્ષ 2024 આવી ગયું છે અને દરેક લોકોએ તેને પોતાની સ્ટાઇલમાં આવકાર્યું છે. સામાન્ય માણસથી લઈને બૉલીવુડના સેલેબ્સ હાલ એમના નવા વર્ષની ઉજવણીની તસવીરો શેર કરી રહ્યા છે. દરેક સેલિબ્રિટિઝ એમના ન્યુ યર સેલિબ્રેશનના ફોટોસ્ અને વિડીયો શેર કરી રહ્યા છે. એવામાં 2023 માં લગ્નના તાંતણે બંધાયેલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ પણ ન્યુ યર સેલિબ્રેશનની તસવીર શેર કરી છે.
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેમના લગ્ન પછી પ્રથમ નવું વર્ષ ઉજવ્યું છે. આ કપલે પહેલી જાન્યુઆરીએ તેમના નવા વર્ષની રજાની ઝલક બતાવી હતી. જેમાં એમને 2024 માં બરફથી ઢંકાયેલા પર્વતો વચ્ચે સ્કી કરવાનું નક્કી કર્યું.
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની આ તસવીર હાલ સોશિયલ મડિયા પર વાયરલ થઈ છે. બંનેએ ફિલ્મ શેરશાહમાં સાથે કામ કર્યું હતું અને આ જોડી બ્લોકબસ્ટર હિટ રહી હતી. સિદ્ધાર્થ અને કિયારાએ ગયા વર્ષે 7 ફેબ્રુઆરી, 2023ના રોજ રાજસ્થાનના જેસલમેરમાં પરંપરાગત વિધિથી લગ્ન કર્યા હતા. બંનેના લગ્નના વીડિયોની ખૂબ ચર્ચા થઈ હતી. કિયારા હાલમાં ગેમ ચેન્જર નામની તેલુગુ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. તે વોર 2 માં પણ જોવા મળશે. સિદ્ધાર્થની વાત કરીએ તો અમે તેને છેલ્લે મિશન મજનુમાં જોયો હતો. તે તેની આગામી ફિલ્મ યોદ્ધાનું શૂટિંગ કરી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech