ભોગાત ખાતેની શ્રીમદ્દ ભાગવત સપ્તાહ સંપન્ન

  • April 10, 2023 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કરમુર દ્વારા યોજાયેલ સપ્તાહમાં હજારો ભાવિકોએ કર્યું કથાનું રસપાન

ભાટીયા ખાતે સમસ્ત કરમુર પરિવાર દ્વારા ચાલી રહેલ શ્રીમદ્દ ભાગવત કથા પ્રખર ભગવાન કથાકારને મહાદેવ પ્રસાદ મહંતના વ્યાસાને ચાલી રહી છે. જેમાં દરરોજ વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉમંગ, ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે અને દરરોજ ૪૦ હજારથી પણ વધુ લોકો કથા શ્રવણ-ભોજન પ્રસાદીનો અને રાત્રે લોકડાયરાનો લાભ લઇ રહ્યા છે.
કથાના ચોથા-પાંચમા દિવસે રાજ્યના કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા, ધારાસભ્યો પબુભા માણેક, ભગવાનભાઇ બારડ, અર્જુનભાઇ મોઢવાડીયા, પૂર્વ ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, આહિર આગેવાનો ભીખુભાઇ વારોતરીયા, મુરુભાઇ કંડોરીયા, સોમાતભાઇ રાવલીયા, લખમણભાઇ આંબલીયા વિગેરે મહાનુભાવોને શાસ્ત્રી મહાદેવપ્રસાદ મહેતાએ આશીર્વાદ આપી ઉપરણા ઓઢાડી કરમુર પરિવારનું સન્માન કરેલ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application