આજના સમયમાં મોટાભાગના લોકો પોતાની બચત મ્યુચ્યુઅલ ફંડ, ગોલ્ડ અને શેરબજારમાં રોકીને રાખે છે. આ દરમિયાન ઘણીવાર મોટી રકમની જરૂર પડે છે ત્યારે તેઓ PF વિડ્રોલ કરે છે અથવા પર્સનલ લોન લે છે. પરંતુ ઘણા લોકોને જાણકારી નથી કે પર્સનલ લોન લેવું વધુ સારું છે કે PF વિડ્રોલ કરવું વધુ સારો વિકલ્પ છે.
જો તમને અચાનક ₹૫ લાખની જરૂર પડે, તો તમારી પાસે પર્સનલ લોન અને EPFO એકાઉન્ટમાંથી પૈસા કાઢવાનો વિકલ્પ હોય છે. પરંતુ આ બંનેમાં ઊંચા વ્યાજદર હોય છે. જો તમે જરા પણ ચૂક કરી તો તમને લાખોનું નુકસાન થઈ શકે છે.
જો તમે PF ઉપાડો છો, તો તમારા ખાતામાં પૈસા આવવામાં 3 થી 10 દિવસ લાગે છે, જ્યારે આજના યુગમાં, પર્સનલ લોન કલાકોમાં મળી જાય છે અને આ માટે બેંકની મુલાકાત લેવાની જરૂર નથી.
હાલમાં, સરકાર PF ખાતા પર 8.25 ટકા કરમુક્ત ચક્રવૃદ્ધિ વ્યાજ આપી રહી છે, જે લાંબા ગાળાની બચત માટે એક સારો વિકલ્પ માનવામાં આવે છે. જો તમે PF ખાતામાંથી 5 લાખ રૂપિયા ઉપાડો છો, તો તમે 5 વર્ષમાં મળનારા 2.45 લાખ રૂપિયાનું વ્યાજ ગુમાવો છો. જોકે, PFમાંથી પૈસા ઉપાડવા પર તમારે EMI કે લોનનો બોજ સહન કરવો પડશે નહીં.
જો તમે 5 લાખ રૂપિયાની પર્સનલ લોન લો છો, તો તમારે તેના પર 13 ટકા વાર્ષિક વ્યાજ ચૂકવવું પડશે. 5 વર્ષમાં આ લોન ચૂકવવા માટે, તમારે દર મહિને 11,400 રૂપિયા EMI ચૂકવવા પડશે, જેના કારણે તમારે 5 વર્ષમાં કુલ 6 લાખ 84 હજાર રૂપિયા ચૂકવવા પડશે.
શેમાં છે ઓછું નુકસાન?
જો તમને ખરેખર ₹૫ લાખની જરૂર છે અને તમને નિવૃત્તિ ભંડોળની ચિંતા નથી, તો PF એકાઉન્ટમાંથી પૈસા કાઢવા એ એક સારો વિકલ્પ હોઈ શકે છે. કારણ કે આનાથી તમારો EMI નો ઝંઝટ નહીં રહે અને બીજું તમને ₹૧.૮૪ લાખ એક્સ્ટ્રા ખર્ચ નહીં કરવા પડે (પર્સનલ લોન પર લાગતા વધારાના વ્યાજની સરખામણીમાં).
પરંતુ, જો તમને નિવૃત્તિ પછી પૈસાની જરૂર પડવાની હોય, તો તમારે PF એકાઉન્ટમાંથી પૈસા ન કાઢવા જોઈએ. આ સાથે, તમને ₹૫ લાખની જરૂર પડવા પર પર્સનલ લોન લઈ લેવી જોઈએ અને તમારા ખર્ચાઓને ઘટાડીને સમયસર EMI ચૂકવવી જોઈએ.
(નોંધ: અહીં અમે તમને ફક્ત માહિતી આપી રહ્યા છીએ. જો તમને વધુ વિગતવાર જાણકારી જોઈતી હોય તો તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ લેવી હિતાવહ છે.)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech