જો તમારે શરીરને સ્વસ્થ અને ફિટ રાખવું હોય તો દોડવું જરૂરી છે. દોડવાથી શરીરમાં સ્ટેમિના વધે છે. પ્રોફેશનલ એથ્લેટ્સ મોટે ભાગે ખાલી પેટે દોડતા હોય છે. ખરેખર દોડવાથી શરીરની ઉર્જા વધે છે અને ચરબી પણ ઝડપથી બળે છે. જો તમે સવારે ખાલી પેટ દોડો છો તો તેનાથી તમારા સ્વાસ્થ્યને પણ ઘણો ફાયદો થાય છે.
નિષ્ણાંત ડૉકટર કહે છે કે દોડવાથી આપણા શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે. જો રક્ત પરિભ્રમણ સારું રહેશે તો આપણું શરીર અનેક રોગોથી સુરક્ષિત રહેશે. આનાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. ચાલો જાણીએ કે ખાલી પેટ દોડવાથી શું ફાયદા થાય છે.
ચરબી ઝડપથી બર્ન થશે
જે લોકોએ વજન ઓછું કરવું હોય તેમણે ખાલી પેટ દોડવું જોઈએ. નિષ્ણાંતોના મતે ખાધા વિના દોડવાથી ચરબી ઝડપથી બર્ન થાય છે. આ અંગે અનેક સંશોધનો પણ પ્રકાશમાં આવ્યા છે. શરીરમાંથી વધારાની ચરબી દૂર કરવા માટે દરરોજ દોડવું જોઈએ.
ડાયાબિટીસ નિયંત્રણમાં રહેશે
દોડવાથી ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધે છે. આના કારણે ડાયાબિટીસનું જોખમ ઓછું થાય છે. આ સિવાય ખાલી પેટ દોડવાથી મેટાબોલિઝમ પણ સ્વસ્થ રહે છે. દોડવાથી શરીરમાં બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. સવારે દોડવું ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
હૃદયના રોગોમાં ફાયદાકારક
જો તમે હૃદય રોગનું જોખમ ઓછું કરવા માંગતા હોવ તો દરરોજ 10 થી 15 મિનિટ દોડો. આ હૃદયને યોગ્ય રીતે પંપ કરવામાં અને રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે.
સારી ઊંઘ
સવારે દોડતા લોકો સારી ઊંઘ લે છે. ખાસ કરીને દોડવું એ લોકો માટે વધુ ફાયદાકારક છે. સવારે દોડવાથી રાત્રે સારી ઊંઘ આવશે. એકંદરે ખાલી પેટ દોડવાથી ઘણા સ્વાસ્થ્ય લાભો મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ગુનાખોરીને અટકાવવા પોલીસની નાઇટ ટ્રાફિક ડ્રાઇવ
May 14, 2025 11:18 AMશ્રીનગરમાં 11 સ્થળોએ 150 આતંકીઓના ઘરો પર દરોડા
May 14, 2025 11:15 AMજામનગર શહેરમાં કારમાં દારૂની હેરાફેરી કરતા ત્રણને પકડી પાડતી LCB પોલીસ
May 14, 2025 11:15 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech