શ્રાવણ માસમાં પાણીના ધાંધીયા

  • August 23, 2023 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુવિધાથી પીલાતા જોડિયાવાસીઓ

જોડિયા ગામે પંચાયત બોડી દ્વારા ગામના એક વિસ્તાર લક્ષ્મીપરાને ગ્રામ પંચાયતનો દરજ્જો અપાવવા માટે ગામના વિભાજન બાદ છેલ્લા એકાદ વર્ષથી જોડીયા ગ્રામ પંચાયત લોકશાહી મુક્ત બની હોય તેવી જનાક્રોશ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારે તલાટી મંત્રી, વહીવટદારના રાજમાં પ્રજા પ્રાથિમક સુવિધાથી પિલાઇ રહી છે. પાણી, લાઇટ, સફાઇ, ભૂર્ગભ ગટર જેવી રોજીંદી સમસ્યાનો સામનો કરવા સ્થાનિક લોકો મજબુર બન્યા છે.
જોડિયાના જડેશ્ર્વર મંદિરના પાછલા વિસ્તારમાં રહેતા ૮ થી ૧૦ મકાનના ગરીબ રહેવાસીઓએ છેલ્લા બે માસથી નળ દ્વારા પાણી નથી મળ્યું તેવો રોષ વ્યક્ત કર્યો છે. જેના પગલે અમુક સંબંધિત વસાહતીઓ બારી શેરી વિસ્તારના પશુના અવેડામાંથી પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. અનેકવાર ગ્રામ પંચાયતમાં રજૂઆત પછી પણ પાણીની પાઇપલાઇનનું સમારકામ કરવામાં આવ્યું નથી. પંચાયત તંત્ર હજુ આ વિસ્તારના પાણી પ્રશ્ર્નનો ઉકેલ લાવી શક્યા ન હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application