ઓમાનની રાજધાની મસ્કતમાં એક મસ્જિદ પાસે ફાયરિંગની ઘટના બની છે, જેમાં 4 લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ હોવાનું કહેવાય છે. રોયલ ઓમાન પોલીસે જણાવ્યું કે આ ઘટના વાડી અલ કબીર વિસ્તારમાં મોજદુમાં એક મસ્જિદ પાસે બની હતી. માહિતી મળતાની સાથે જ પોલીસે સ્થિતિને કાબુમાં લીધી હતી. આ ઘટનાને પહોંચી વળવા સુરક્ષાના કડક પગલા લેવામાં આવ્યા છે. પુરાવા એકત્ર કરવા અને તપાસ પ્રક્રિયાને આગળ વધારવાની કામગીરી કરવામાં આવી રહી છે.
ઓમાનની રોયલ પોલીસે ટ્વીટ કરીને આ હુમલાની માહિતી શેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પોલીસે પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધું છે અને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. વર્લ્ડ સોર્સ ન્યૂઝે આ ઘટનાને આતંકવાદી પ્રવૃત્તિ ગણાવી છે. એવું પણ કહેવાય છે કે મસ્જિદની અંદર 700 લોકો ફસાયેલા છે. આ ઘટનાને શિયા સમુદાય વિરુદ્ધની ઘટના સાથે જોડવામાં આવી રહી છે. અલ બાવાબા ન્યૂઝ અનુસાર ઘટના સ્થળે કેટલાક પાકિસ્તાની પણ હાજર હતા. ઓમાન પોલીસે મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી છે. મીડિયા રિપોટ્ર્સ અનુસાર મૃત્યુ પામેલાઓમાં ત્રણ બાળકો પણ સામેલ છે. હાલમાં રોયલ ઓમાન પોલીસને હજુ સુધી ફાયરિંગનું કારણ જાણવા મળ્યું નથી. આ સાથે હુમલો કરનારા લોકો વિશે પણ કોઈ માહિતી સામે આવી નથી.
ઓમાન અરબી દ્વીપકલ્પ્ની પૂર્વ ધાર પર આવેલું છે. ઓમાનની સલ્તનતમાં આ પ્રકારની હિંસા ભાગ્યે જ જોવા મળે છે. અહેવાલ મુજબ મસ્કતમાં ગોળીબારની ઘટના બાદ યુએસ એમ્બેસીએ અમેરિકનોને ઘટના વિસ્તારથી દૂર રહેવાની ચેતવણી જારી કરી છે. હાલ આ સમગ્ર મામલે ઓમાન પોલીસ દ્વારા વધુ માહિતી આપવામાં આવી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech