મધ્ય પ્રદેશના શહડોલ જિલ્લાના પાપૌંધ પોલીસ સ્ટેશન વિસ્તારના હિરવાર ગામમાંથી એક અત્યંત આઘાતજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક ૩૨ વર્ષીય મહિલાએ પોતાની ત્રણ નાની દીકરીઓને કીટનાશક (ઝેરી પદાર્થ) પીવડાવ્યા બાદ પોતે પણ ઝેર ગટગટાવી લીધું હતું. આ કરુણ ઘટનામાં માતા અને ત્રણેય માસુમ દીકરીઓનું મોત નીપજ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ આત્મઘાતી પગલું ભરતા પહેલાં મહિલાએ ઘરમાં
રાખેલા દસ્તાવેજો, અનાજ અને કપડાં સળગાવી દીધા હતા.
સળગાવી દીધા ઘરના દસ્તાવેજો અને અનાજ
શહડોલમાં માતાના આકરા પગલાં બાદ મોટી દીકરીએ પાડોશીઓને આપી હતી જાણ, પણ કોઈ બચી ન શક્યું
ઘટનાનો સંપૂર્ણ ક્રમ અને વિગતો
શનિવારે રાત્રે આ ઘટના ઘટી હતી, જ્યારે મૃતક મહિલા અનીતા સિંહ (૩૨) અને તેની દીકરીઓ જ ઘરમાં હાજર હતી. તેનો પતિ વ્યવસાએ ડ્રાઈવર છે અને તે કામ અર્થે હૈદરાબાદ ગયો હતો.દીકરીએ પાડોશીઓને જણાવ્યું: ઝેર પીધા પછી સૌથી મોટી ૭ વર્ષની દીકરી અર્પિતાએ કોઈક રીતે ઘરની બહાર નીકળી પાડોશીઓને આ અંગે વાત કરી હતી. પાડોશીઓ તાત્કાલિક તમામને હોસ્પિટલ લઈ ગયા હતા.સારવાર દરમિયાન દમ તોડ્યો: હૉસ્પિટલ પહોંચતા જ ડૉક્ટરોએ અનીતા, ૪ વર્ષની રીતિકા અને ૨ વર્ષની ક્રિષ્ણાકુમારીને મૃત જાહેર કર્યા હતા. જ્યારે મોટી દીકરી અર્પિતાનું રવિવારે સારવાર દરમિયાન મોત થયું હતું.
પોલીસ તપાસની વર્તમાન સ્થિતિ
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર ઘટનાસ્થળેથી 'એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ' (કીટનાશક)નું પેકેટ મળી આવ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અનીતા પોતાના બાળકો સાથે સાસરી પક્ષથી અલગ રહેતી હતી. મહિલાએ આટલું મોટું પગલું શા માટે ભર્યું તેનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. પોલીસે હાલ ગુનો નોંધીને પરિવારજનો અને સંબંધીઓના નિવેદનો લેવાની પ્રક્રિયા શરૂ કરી છે.