યુનિફોર્મ સિવિલ કોડ દેશની જરૂરિયાત, માંસાહારી ખોરાક પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએઃ શત્રુઘ્ન સિંહા

  • February 05, 2025 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ શત્રુઘ્ન સિંહાએ દેશભરમાં માંસાહાર ખોરાક પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. તેમણે સમાન નાગરિક સંહિતા (યુસીસી) ની પણ પ્રશંસા કરી. જોકે, તેમણે આ અંગે પોતાની ચિંતા પણ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે દેશભરમાં માત્ર ગૌમાંસ જ નહીં પરંતુ સામાન્ય રીતે તમામ પ્રકારના માંસાહારી ખોરાક પર પ્રતિબંધ મૂકવો જોઈએ.


ટીએમસી સાંસદ શત્રુઘ્ન સિંહાએ કહ્યું, ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતાનો અમલ પહેલી નજરે જ પ્રશંસનીય છે. દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ થવી જોઈએ અને મને ખાતરી છે કે બધા મારી સાથે સહમત થશે. પરંતુ તેમાં અનેક ખામીઓ છે. દેશમાં માત્ર બીફ જ નહીં, પરંતુ સામાન્ય રીતે માંસાહારી ખોરાક પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ. પરંતુ જે નિયમો ઉત્તર ભારતમાં લાગુ થઈ શકે છે તે ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં લાગુ થઈ શકતા નથી. સમાન નાગરિક સંહિતાની જોગવાઈઓનો મુસદ્દો તૈયાર કરતા પહેલા સર્વપક્ષીય બેઠક યોજવી જોઈએ.


ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડે 27 જાન્યુઆરીથી સમાન નાગરિક સંહિતા (યુસીસી ) લાગુ કરીને એક ઐતિહાસિક પગલું ભર્યું છે. ઉત્તરાખંડ સમાન નાગરિક સંહિતા અધિનિયમ, 2024 લગ્ન, છૂટાછેડા, વારસો અને ઉત્તરાધિકાર સહિત વિવિધ વ્યક્તિગત કાયદાઓને સરળ બનાવશે.


શત્રુઘ્ન સિંહાનું આ નિવેદન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ આવ્યું છે, જેમાં તેમણે ગુજરાતમાં યુસીસી લાગુ કરવા માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરવાની વાત કરી હતી. આ સમિતિ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના દેસાઈના અધ્યક્ષતામાં રચવામાં આવશે અને તેણે 45 દિવસમાં રાજ્ય સરકારને પોતાનો અહેવાલ સુપરત કરવાનો રહેશે.

ગુજરાત સરકારે 2022 માં યુસીસીની જરૂરિયાતની તપાસ કરવા માટે એક સમિતિની રચના કરી હતી, જેનો ઉદ્દેશ્ય આ કાયદાના અમલીકરણની શક્યતા પર વિચાર કરવાનો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application