મૂળ ગોંડલના બેટાવડના વતની અને હાલ ગોંડલમાં રહેતા શાપર વેરાવળના કોન્સ્ટેબલ વિનોદભાઇ લાલકીયા જામનગર બંદોબસ્તમાંથી ઘરે પરત ફરતા હતાં.ગોંડલમાં ઉમવાડા રોડ પર અજાણ્યા વાહને તેમના બાઇકને ઠોકરે લેતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતાં.જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું.બનાવ અંગે કોન્સ્ટબેલના ભાઇની ફરિયાદ પરથી પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેમને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.બનાવના પગલે પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,મૂળ ગોંડલ તાલુકાના ગામના વતની અને હાલ ગોંડલ પોલીસ લાઈનમાં રહેતા તેમજ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર વિનોદભાઈ હકુભાઇ લાલકીયા રાત્રિના બાઇક લઇ ગોંડલના ઊમવાડા રોડ પર સુવર્ણભૂમિ કોમ્પલેક્ષ પાસેથી પસાર થતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેમના બાઇકને ઠોકર લેતા કોન્સ્ટેબલ રોડ પર પટકાયા હતા અને તેમને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા અહીં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું.
અકસ્માતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, કોન્સ્ટેબલ વિનોદભાઈ લાલકીયા અગાઉ ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં પાંચેક વર્ષની ફરજ બજાવતા હતા. તાજેતરમાં 15 દિવસ પૂર્વે તેમની શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં બદલી થઇ હતી. હાલ તેઓ દ્વારકા બાદમાં જામનગરમાં બંદોબસ્તમાં હતા ગઈકાલ રાત્રિના બંદોબસ્તમાંથી પરત ફરી રહ્યા હતા દરમિયાન તેમને આ અકસ્માત નડ્યો હતો. વિનોદભાઈ બે ભાઈના પરિવારમાં નાના હતા અને તેમને સંતાનમાં સાત વર્ષનો પુત્ર હોવાનું માલુમ પડ્યું છે .અકસ્માતની આ ઘટના અંગે વિનોદભાઈના મોટાભાઈ સંજયભાઈ ઉર્ફે ચંદુભાઈ લાલકીયાની ફરિયાદ પરથી ગોંડલ બી ડિવિઝન પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. અકસ્માતની આ ઘટનામાં કોન્સ્ટેબલનું મૃત્યુ થતા પોલીસબેડામાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech