આસો માસની નવરાત્રી મહાપર્વ તરીકે ઉજવાય છે. નવ દિવસ દરમિયાન માં જગદંબાના નવદુર્ગાના સ્વપોનું પૂજન અર્ચન કરવામાં આવે છે. શાક્રોત વિધિથી ઘટસ્થાપન કરી દરરોજ એક એક દેવીની વિશેષ મહાપૂજા કરવાનું મહાત્મય છે. ગિરનાર પર્વત પર બિરાજમાન શકિતપીઠ માં અંબાજીના દર્શન કરવા ભાવિકો ઉમટી પડશે. નવરાત્રી મહોત્સવ દરમિયાન મંદિરને અનેરો રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે.અંબાજી મંદિરના મહતં મોટા પીર બાવા તનસુખગીરી બાપુની નિશ્રામાં આજે પ્રથમ નોરતા નિમિત્તે નિજ મંદિરમાં સવારે ૮ કલાકે ધટસ્થાપન વિધિ સાથે અનુ ાનનો પ્રારભં થયો હતો .મહોત્સવ અંતર્ગત દરરોજ સવાર સાંજ માતાજીના શ્રી સુકતના પાઠ, અભિષેક અને મહા આરતી કરવામાં આવશે. નવરાત્રી દરમિયાન માતાજીને રોજબરોજ શૃંગાર અને વિશિષ્ટ્ર પૂજા કરવામાં આવશે. મંદિરના પૂજારી દ્રારા મંદિરને શણગાર કરવામાં આવેલ છે. સાંજના સમયે માતાજી સન્મુખ રાસ ગરબાની રમઝટ થશે.નવરાત્રી મહોત્સવ દરમિયાન મંદિર પરિસરમાં જય માતાજીનો નાદ ગુંજી ઉઠશે.
આઠમા નોરતે હવન અષ્ટ્રમીનો યજ્ઞ યોજાશે જેમાં માતાજી સન્મુખ હવનનું પણ આયોજન કરાયું છે. જેમાં હજારો માઈભકતો માતાજીના દર્શન અને હવનના દર્શન કરવા હવનાષ્ટ્રમીના દિવસે માતાજીના દર્શને પધારેલા ભાવિકોને મહાપ્રસાદ પીરસવામાં આવશે.નવરાત્રી દરમિયાન ગિરનાર ઉપર અનુ ાન કરવાનું પણ મહત્વ છે. જેથી નવરાત્રીના દિવસો દરમિયાન અનેક શ્રદ્ધાળુઓ માતાજી સન્મુખ અનુ ાન કરી પૂજન અર્ચન કરશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech