શાહરુખ ખાનની તબીયતમાં સુધાર: રિપોર્ટ નોર્મલ આવ્યા

  • May 23, 2024 12:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શાહરુખ ખાનની તબીયતમાં સુધાર: રિપોર્ટ નોર્મલ આવ્યા
ગઈ કાલે હીટ સ્ટ્રોકના કારણે સુપરસ્ટાર શાહરૂખ ખાનની તબિયત લથડી હતી, જે બાદ તરત જ તેમને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમાચાર સામે આવ્યા બાદ કિંગ ખાનના ફેન્સ તેના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ચિંતિત થઈ ગયા છે. જોકે હવે કિંગખાનના ફેન્સ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.
બોલિવુડના કિંગ ખાન શાહરુખ ખાનની તબિયત બગડતા અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમાચાર ગૌરી ખાનને મળતા જ તે તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગઈ હતી. ગૌરી ઉપરાંત અભિનેત્રી અને શાહરૂખ ખાનની ખાસ મિત્ર જૂહી ચાવલા પણ તેને મળવા હોસ્પિટલ પહોંચી હતી.
શાહરુખ ખાનની તબીયતમાં સુધાર આવતા આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. તબીબોની ટીમે સવારે ફરી શાહરૂખની તપાસ કરી હતી. કેડી હોસ્પિટલમાંથી થોડીવારમાં શાહરૂખને હવે રજા અપાશે. રાતભર શાહરૂખને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા હતા. શાહરૂખ ખાનના તમામ રિપોર્ટ હવે નોર્મલ આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application