પોરબંદર નજીકના રાણાવાવમાં કૃષ્ણ જન્મોત્સવની શોભાયાત્રા નીકળશે એ ટ ઉપર ત્રણ મહિનાથી ગટરના પાણી વહી રહ્યા છે અને રજુઆત કરવા છતાં પરિણામ શુન્ય આવ્યું હોવાથી વધુ એક વખત તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે. જુના સાકર કારખાનાથી લઇ અને આશાપુરા ચોક સુધી જોડતો જે મુખ્ય માર્ગ છે એ આજે છેલ્લા ત્રણ માસથી ભુગર્ભ ગટરનું સતત પાણી રોડ ઉપર વહી રહ્યું છે તથા આસપાસના જે લોકો છે એના ઘરની અંદરમાં પણ આ ભુગર્ભ ગટરનું પાણી ઘુસી ગયું છે,અવાર નવાર તંત્રને રજુઆત કરવા છતાં રાણાવાવ નગરપાલિકા તથા વહીવટદાર મામલતદાર તથા રાણાવાવના આગેવાનોને પણ ફરીયાદ કરેલી છે છતાં પણ આ તંત્ર છે આ પાણીને બંધ કરવા માટે કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતા નથી અને બે કે ચાર દિવસ પછી જ આપણો હિંદુનો જે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ દિવસ આવે છે ત્યારે જન્માષ્ટમીની આ માર્ગ ઉપરથી બહુ મોટા પાસે શોભાયાત્રા નીકળે છે,છતાં પણ આ પાણીના ગંદા ગટરના પાણીઓ આ રોડ ઉપર વહી રહ્યા છે,વહેલીતકે આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોરબી ઝૂલતા પુલ કેસ: જયસુખ પટેલને મોટી રાહત, મોરબી જિલ્લામાં પ્રવેશની મંજૂરી
March 11, 2025 11:11 PMદિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની મુશ્કેલી વધી, કોર્ટનો FIR નોંધવાનો આદેશ
March 11, 2025 09:28 PMભારત આવી રહ્યું છે એલોન મસ્કનું સ્ટારલિંક ઈન્ટરનેટ, સ્પેસX નો એરટેલ સાથે કરાર
March 11, 2025 09:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech