પોરબંદર નજીકના રાણાવાવમાં કૃષ્ણ જન્મોત્સવની શોભાયાત્રા નીકળશે એ ટ ઉપર ત્રણ મહિનાથી ગટરના પાણી વહી રહ્યા છે અને રજુઆત કરવા છતાં પરિણામ શુન્ય આવ્યું હોવાથી વધુ એક વખત તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે. જુના સાકર કારખાનાથી લઇ અને આશાપુરા ચોક સુધી જોડતો જે મુખ્ય માર્ગ છે એ આજે છેલ્લા ત્રણ માસથી ભુગર્ભ ગટરનું સતત પાણી રોડ ઉપર વહી રહ્યું છે તથા આસપાસના જે લોકો છે એના ઘરની અંદરમાં પણ આ ભુગર્ભ ગટરનું પાણી ઘુસી ગયું છે,અવાર નવાર તંત્રને રજુઆત કરવા છતાં રાણાવાવ નગરપાલિકા તથા વહીવટદાર મામલતદાર તથા રાણાવાવના આગેવાનોને પણ ફરીયાદ કરેલી છે છતાં પણ આ તંત્ર છે આ પાણીને બંધ કરવા માટે કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતા નથી અને બે કે ચાર દિવસ પછી જ આપણો હિંદુનો જે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ દિવસ આવે છે ત્યારે જન્માષ્ટમીની આ માર્ગ ઉપરથી બહુ મોટા પાસે શોભાયાત્રા નીકળે છે,છતાં પણ આ પાણીના ગંદા ગટરના પાણીઓ આ રોડ ઉપર વહી રહ્યા છે,વહેલીતકે આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech