શહેરમાં ટાઉનહોલ ખાતે વોર્ડ નંબર ૧ થી ૮ નાં લોકો માટે સેવાસેતુ કાર્યક્રમ

  • September 21, 2024 01:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં લાંબા સમય બાદ લોકો માટે એક જ જગ્યાએથી તમામ સર્ટીફીકેટનાં દાખલાઓ નીકળી શકે તે માટે કોર્પોરેશન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે ત્યારે આજે વોર્ડ નં. ૧ થી ૮નાં લોકો માટે ટાઉનહોલ ખાતે સેવા સેતુનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં સવારથી જ લોકો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં આવ્યા હતા. મેયર વિનોદ ખુમીસુર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે.ચેરમેન નિલેશભાઇ કગથરા, શાસક પક્ષના નેતા આશિષ જોષી, કમિશનર ડી.એન. મોદી, કોર્પોરેટર સુભાષ જોષી, જયેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, પ્રભાબેન ગોરેચા, કેશુભાઇ માડમ, અલ્કાબા જાડેજા, સીટી એન્જી. ભાવેશ જાની, હિતેષ પાઠક, નરેશ પટેલ વગેરે પદાધિકારીઓ હાજર રહ્યા હતા સેવાસેતુ કાર્યક્રમમાં આવકનાં દાખલા, ક્રિમીલેયર સર્ટીફીકેટ, આધારકાર્ડ સુધારો, નવા આધારકાર્ડ, મહાપાલિકાની જન્મ મરણ નોંધણી સર્ટીફીકેટ, સહિત અનેક સર્ટીફીકેટ લોકોને સરળતાથી મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે રવિવારે વોર્ડ નં. ૯ થી ૧૬નાં લોકો માટે સવારે ૯ થી ૫ દરમ્યાન સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેનો લાભ લેવા કોર્પોરેશન દ્વારા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application