જામનગર જિલ્લામાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં ૭,૦૨૦ કેસમાં સમાધાન

  • December 11, 2023 01:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨૪ અદાલતોમાં મુકાયેલા કેસોના સમાધાનના ભાગ‚પે ૨૨ કરોડ ૧૩ લાખ માં સેટલમેન્ટ થયું

જામનગર જિલ્લામાં શનિવારે વર્ષ ૨૦૨૩ની અંતિમ લોક અદાલત યોજાઈ હતી, અને સમગ્ર જિલ્લાની ૨૪ જેટલી અદાલતોમાં સમાધાન માટે ૧૬,૫૪૧ થી વધુ કેસો મુકવામાં આવ્યા હતા. જેમાં ૭,૦૨૦ કેસોમાં સમાધાન થયું હતું, અને ફુલ ૨૨ કરોડ ૧૩ લાખનું સેટલમેન્ટ થયું છે.
નાલ્સાના એક્શન પ્લાન મુજબ જામનગર જિલ્લામાં શનિવાર તા ૯.૧૨.૨૦૨૧ ના રોજ વર્ષ ૨૦૨૩ની અંતિમ લોક અદાલત યોજાઇ હતી. જેમાં સમાધાન માટે કૂલ ૧૬,૫૪૧ કેસો મુકવામાં આવ્યા હતા જેમાં પ્રિ-લીટીગેશન ના ૧૧,૨૮૦ અગાઉના પેન્ડિંગ ૨,૨૭૧ કેસ જ્યારે સ્પેશિયલ સીટીંગના ૨,૯૯૦ નો સમાવેશ થાય છે.
 જે પૈકી એકીસાથે ૭,૦૨૦ કેસોમાં સમાધાન થયું હતું. જામનગર જિલ્લાની કુલ ૨૪ લોક અદાલતોમાં આજે રૂબરૂ કાર્યવાહી કરવામાં આવી હતી. અને ફુલ ૨૨,૧૩,૪૬,૩૩૦.૦૭ ના સેટલમેન્ટ થયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application