પોરબંદરમાં પશુ,પંખી અને માનવીઓ માટે યોજાયા સેવાકાર્યો

  • September 30, 2024 02:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં માહી ગ્રુપ દ્વારા અનેકવિધ સેવાકાર્યો યોજાયા હતા.
પોરબંદરના માહી ગ્રુપના સભ્યો દ્વારા અવાર-નવાર સેવાકાર્યોના આયોજનો થતા હોય છે,ત્યારે હાલ પિતૃઓનો મહિનો શ્રાદ્ધ ચાલી રહ્યા છે,ત્યારે ગ્રુપ પરિવારના પિતૃઓના મોક્ષાર્થે દરરોજ કંઈક અલગ-અલગ વિવિધ સેવાકાર્યોના આયોજન થતા હોય છે,ત્યારે ગ્રુપના સેવાભાવી સભ્ય જીતુભાઈ અમરશીભાઈ મજીઠીયાના  પિતા સ્વ. અમરશીભાઈ કુરજીભાઈ મજીઠીયા,માતા સ્વ. વિજયાબેન અમરસિંહભાઈ મજીઠીયા, તેમજ જીતુભાઈ મજીઠીયાના મોટાભાઈ સ્વ.ચંદ્રકાંત અમરશીભાઈ મજીઠીયાના સ્મરણાર્થે ઇન્દ્રેશ્ર્વર મહાદેવ મંદિર ગાયમાતાને ઘાસચારાનું વિતરણ, કબુતરોને ચણ, શ્ર્વાનને દૂધ અને બિસ્કીટ, કીડીને કીડીયા‚, માછલીઓને ભોજન સહિતના વિવિધ સેવાકાર્યો યોજી તેમજ વિશેષમાં ગાય માતાનું પુજન, મહાઆરતી ગાયમાતાના પ્રિય લાડુની પ્રસાદી, ગાયમાતાને અર્પણ કરી અને સ્વજનોના દિવ્ય અને પવિત્ર આત્માની પરમ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી,
ઉપરોક્ત સેવાકાર્યોમાં ગ્રુપના સેવાભાવિ પ્રમુખ કમલભાઈ ગોસલીયા, સેક્રેટરી ગજેન્દ્રભાઈ વ્યાસ,સેવાભાવિ સભ્યો કપિલભાઈ કોટેચા,કારાભાઈ પાંડવ, અનિલભાઈ બથિયા, રતનશીભાઈ ગોહેલ, રાજુભાઈ ચૌહાણ, વિનેશભાઈ ગોસલીયા, ભરતભાઈ ભટ્ટ, જીતુભાઈ મજીઠીયા,રમાબેન અમૃતલાલ સામાણી, પુષ્પાબેન વ્રજલાલ લાખાણી, ગીતાબેન, જયકિશનભાઈ, ઉષાબેન દિલીપભાઈ પોપટ, ખ્યાતિબેન, તેમજ એકતાબેન સાગરભાઇ કોટેચા, તેમજ માધવ તેમજ જાનવી,માનવી,જીવા સહિત મજીઠીયા પરિવાર અને  ગ્રુપ પરિવારના સભ્યો જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News