ગુજરાતમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળના નગર આયોજન અને મૂલ્યાંકન ખાતાના 6 પ્રવર નિયોજક વર્ગ-1ના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં રાજકોટ રૂડાના પ્રવર નગર નિયોજક એસ.એમ. પંડ્યાની વડોદરા બદલી કરવામાં આવી છે. જ્યારે નવસારીના પ્રવર નગર નિયોજક દિનકર એમ, પટેલને રાજકોટ રૂડામાં મુકવામાં આવ્યા છે.
જુનાગઢ અને ભાવનગરના પ્રવર નગર નિયોજકની બદલી
જુનાગઢ મનપાના પ્રવર નગર નિયોજક વિવેક કિરણ પારેખની ગાંધીનગર બદલી કરવામાં આવી છે અને અમદાવાદમાં વધારાનો ચાર્જ સોંપાવામાં આવ્યો છે. જ્યારે ભાવનગર નગર રચના યોજનાના પ્રવર નગર નિયોજક એસ.એન. પારગીની જુનાગઢ મનપામાં પ્રવર નગર નિયોજક તરીકે બદલી કરવામાં આવી છે.
વડોદરાના પ્રવર નગર નિયોજકની બદલી
વડોદરા નગર રચના યોજનાના પ્રવર નગર નિયોજક માનસી એમ. અધવર્યુની બારડોલી શહેર વિકાસ સત્તામંડળમાં મુકવામાં આવ્યા છે. તેમજ નવસારી શહેરી વિકાસ સત્તા મંડળમાં વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળના પ્રવર નગર નિયોજક પરિન ડી. ગાંધીની વડી કચેરી ગાંધીનગરમાં બદલી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech