સ્વાતંત્રય પર્વની પૂર્વ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને આંતકવાદીઓએ નિશાન બનાવતા સુરક્ષા દળના જવાનોએ ઓપરેશન સફળતાપૂર્વક પાડી બે ત્રાસવાદીને ઠાર કરી દીધો હતો અને બે ને દબોચી લીધા હતા. એરપોર્ટમાં વિસ્ફોટક સામગ્રીઓ લઈને ચાર આંતકવાદીઓ કાર સાથે ઘૂસી ગયા હતા અને સુરક્ષા જવાનો પર ફાયરિંગ કયુ હતું.આંતકવાદીઓને ભરી પીવાના જુસ્સા સાથે સી.આઈ.એસ.એફ.ના જવાનો અને પોલીસ દ્રારા આંતકવાદીઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં બે ત્રાસવાદીઓને ઠાર કરવામાં સફળતા મળી હતી. હવાઈ સુરક્ષા સંસ્કૃતિ સાહ અને ૧૫ મી ઓગસ્ટના સ્વતંત્રય પર્વ અને અનુલક્ષીને પોલીસ કમિશનર દ્રારા યોજાયેલી મોક ડ્રીલમાં સુરક્ષા દળના જવાનોની કસોટી લેવામાં આવી હતી. જેમાં પોલીસ અને સીઆઈએસએફના જવાનોને સફળતા મળી હતી.
હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટમાં બીજી વખત મોકડિ્રલ કરવામાં આવી હતી જેમાં આ વખતે આંતકવાદીઓ એરપોર્ટમાં વિસ્ફોટક સામગ્રીઓ સાથે ઘૂસી જાય છે તે વિષયને લઈને આ મોકડિ્રલ કરાઈ હતી. આ ઓપરેશનમાં સીઆઈએસએફના ૨૩ જવાનો, એસ.ઓ.જી.ના ૧૭ અને કયું.આર.ટી.ના છ જવાનો તેમજ એરપોર્ટ ઓથોરિટીના ૨ મળી કુલ ૪૮ જવાનોએ આ ઓપરેશન ને સફળતાપૂર્વક પાર પાડું હતું.
બપોરના સમયે આ મોક ડ્રીલ કરવામાં આવી ત્યારે થોડીવાર પેસેન્જરમાં ભય ફેલાયો હતો. જોકે આખરે મોકડિ્રલ જાહેર થતાં રાહતનો શ્વાસ લીધો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech