રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલના આદેશથી યાજ્ઞિક રોડ ઉપર ગંદકી ફેલાવતી રમકડાંની દુકાન સીમંધર ટોય્ઝ શોપ સીલ કરવામાં આવી હતી. આ સાથે જ રાજકોટ મહાપાલિકા તંત્રએએવો સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે ગંદકી કરનાર કોઇ પણ દુકાન હશે તે સીલ થશે જ, ફક્ત ચાની હોટેલો કે પાનની દુકાનો સામે જ ઝુંબેશ નથી.
વિશેષમાં મહાપાલિકાના અધિકારી વર્તુળોએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, વોર્ડ નં.7માં ડો.યાજ્ઞિક રોડ ઉપર આવેલી સીમંધર ટોય્ઝ શોપ દ્વારા જાહેરમાં સ્વચ્છતા જાળવતા ન હોવાથી અને ગંદકી સબબ ન્યુસંન્સ ફેલાવતા હોવાથી જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હોય આ બાબતે નોટીસ આપી વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવી હતી. તદ્દઉપરાંત આ શોપ્ના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવાર-નવાર સુચના આપવામાં આવી હતી તેમ છતાં જાહેર સ્વચ્છતા ન જળવતા આજ રોજ સ્થળ તપાસ કરતાં શોપ્ની આસપાસ ખુબ ગંદકી તેમજ કચરો જોવા મળેલ હતો. જેથી આજે રોજ સીમંધર ટોય્ઝના સંચાલકોને નોટીસ આપીને ધી જીપીએમસી એક્ટ- 1949ની કલમ-376 એ હેઠળ શોપ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
હાલ સરકારની નિર્મળ ગુજરાત 2.0 કાર્યક્રમ અંતર્ગત શહેરને તેમજ શહેરની બહારના વિસ્તારો, શહેરને જોડતા હાઇ-વે વિગેરેને સ્વચ્છ કરવા માટે સઘન કાર્યવાહી કરવામાં આવી રહેલ હોય, જાહેરમાં ગંદકી ફેલાવતાં આસામીઓ તેમજ ધંધાર્થીઓને નોટીસ આપી વહીવટી ચાર્જ વસુલવા તેમજ તેમાં સુધારો ન જણાતા આવા આસામીઓ-ધંધાર્થીઓ સામે તેની દુકાન-ધંધાનું એકમ સીલ કરવા સુધીના આકરા પગલાં લેવામાં આવશે. જે બાબતે નોંધ લેવા જાહેર જનતાને સુચિત કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીજીપી વિકાસ સહાય દ્વારા ત્રણ PIને ફરજિયાત નિવૃત્તિનો આદેશ...જાણી લો કારણ
July 04, 2024 11:53 PMઆસામમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 56 લોકોના મોત, અરુણાચલમાં પણ 16 લાખથી વધુ અસરગ્રસ્ત
July 04, 2024 11:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech