પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી ગૃહ યોજનાના 10 ફ્લેટમાં ભાડુઆત મળતા સીલ

  • November 03, 2023 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી ગૃહ યોજનાના 10 ફ્લેટમાં ભાડુઆત મળતા સીલ કરવામાં આવ્યા હતા.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાની આવાસ યોજના શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે વિવિધ આવાસ યોજના અંતર્ગત અલગ અલગ સ્થળોએ આવાસો બનાવવામાં આવેલ છે ત્યાં આગળ આવાસ યોજના વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું જેમાં મૂળ લાભાર્થીના સ્થાને ભાડુઆત રહેતા હોવાનું માલુમ પડતા 10 આવાસ સીલ કરવામાં આવ્યા હતા. સીલ કરાયેલા આવાસોમાં નરસિંહ મહેતા ટાઉનશીપ-કુવાડવા રોડમાં સૌથી વધુ છ આવાસો, છત્રપતિ શિવાજી ટાઉનશીપ-રેલનગરમાં બે આવાસો, બીએસયુપી આવાસ યોજના-નાનામવા ચોકમા બે આવાસો સહિત કુલ 10 આવાસ સીલ કરાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application