શિવાજી પ્રતિમા પડવાના કેસમાં આરોપી શિલ્પકારની ધરપકડ

  • September 05, 2024 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહારાષ્ટ્ર્રના રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજીની પ્રતિમા પડવાના કેસમાં શિલ્પકાર જયદીપ આપ્ટેની ધરપકડ કરવામાં આવી છે. જયદીપ નાસતો ફરતો હતો અને તેનો પરિવાર ઈચ્છતો હતો કે તે પોલીસ સમક્ષ હાજર થઇ જાય. પરિવાર અને પત્ની જયદીપને આ મુદ્દે સમજાવી રહ્યા હતા. ગત રાતે તે પોતાના ઘરે આવવાનો છે એવી માહિતી તેની પત્નીએ એ પોલીસને આપી અને તે પકડાઈ ગયો હતો. ગયા મહિને મહારાષ્ટ્ર્રના રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના પતનના સંબંધમાં વોન્ટેડ શિલ્પકાર–કોન્ટ્રાકટર જયદીપ આપ્ટેની બુધવારે રાત્રે થાણે જિલ્લાના કલ્યાણમાંથી ઉઠાવી લેવામાં આવ્યો હતો. આપ્ટે દ્રારા બનાવવામાં આવેલી પ્રતિમા તેના ઉધ્ઘાટનના નવ મહિના કરતાં પણ ઓછા સમયમાં ૨૬ ઓગસ્ટે તૂટી પડી હતી, જેના પગલે સિંધુદુર્ગ પોલીસ તેને શોધી રહી હતી. પોલીસે તેને શોધવા માટે સાત ટીમો બનાવી હતી.શિવાજીની પ્રતિમા ધરાશાયી થયા બાદ માલવણ પોલીસે આપ્ટે અને સ્ટ્રકચરલ કન્સલ્ટન્ટ ચેતન પાટીલ સામે બેદરકારી અને અન્ય ગુના માટે કેસ નોંધ્યો હતો. પાટીલની ગત સાહે કોલ્હાપુરથી ધરપકડ કરવામાં આવી હતી.
સિંધુદુર્ગ પોલીસ આપ્ટેને માલવણ લઈ ગઈ હતી, યાં તેને રિમાન્ડ માટે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જોકે, આપ્ટેના વકીલ ગણેશ સોહનીનો દાવો છે કે તેણે પોતે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કયુ છે.શિવાજીની પ્રતિમા ધરાશાયી થયા બાદ માલવણ પોલીસે આપ્ટે અને સ્ટ્રકચરલ કન્સલ્ટન્ટ ચેતન પાટીલ સામે બેદરકારી અને અન્ય ગુના માટે કેસ નોંધ્યો હતો. પાટીલની ગત સાહે કોલ્હાપુરથી ધરપકડ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application