આકરી ગરમી વચ્ચે ખરીફ વાવેતરનો પ્રારંભ: બપોરના એસ.ટી. અને ખાનગી બસોમાં મુસાફરોની સંખ્યા ઘટી: લોકો ગરમીથી અકળાયા
જામનગર શહેરમાં ગઇકાલે વાદળો છવાયા હતાં, આજે પણ વાદળછાયુ વાતાવરણ છે ત્યારે શહેરનું મહત્તમ તાપમાન ૩૯ ડીગ્રી નજીક પહોંચી જતાં લોકોને ભારે બફારાનો અનુભવ થયો હતો, લાંબા સમય બાદ ફરીથી તાપમાન વઘ્યું છે, ગામડાઓમાં પણ લોકો હેરાન-પરેશાન થઇ ગયા છે. ભારે ગરમીને કારણે એસ.ટી. અને ખાનગી વાહનોમાં બપોરે ૧૨ થી ૪ દરમ્યાન મુસાફરોની સંખ્યા ઘટી છે, ગરમી વચ્ચે કેટલાક વિસ્તારમાં લાઇટ ચાલી જવાથી લોકો ભારે પરેશાન થયા હતાં.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન ૩૮.૬ ડીગ્રી, લઘુતમ તાપમાન ૨૮.૪ ડીગ્રી, હવામાં ભેજ ૭૨ ટકા, પવનની ગતિ ૪૦ થી ૪૫ કિ.મી. પ્રતિકલાક જોવા મળી હતી. ગુજરાતના અન્ય શહેરો કરતા જામનગર દરિયાકાંઠે હોય ભેજનું પ્રમાણ પણ વધે છે, એટલું જ નહીં ઠંડો પવન પણ અન્ય શહેરો કરતા વધારે જોવા મળે છે. જામનગર શહેરમાં આજ સવારથી વાદળો છવાયા છે, મળતા અહેવાલો મુજબ ગામડાઓમાં પણ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે, વરસાદી વાતાવરણ થવાને કારણે ગરમીમાં ઘટાડો થયો છે, જો કે હવામાન ખાતાની ખાસ કોઇ આગાહી નથી, પરંતુ વાતાવરણમાં થોડી ઠંડક જોવા મળી છે.
અસહ્ય ગરમીને કારણે ખેડુતોને પણ ખેતી કામમાં મુશ્કેલી પડી હતી, શહેરના કેટલાક વિસ્તારોમાં હજુ પણ પીજીવીસીએલ દ્વારા પ્રિ-મોનસુનની કામગીરી કરવામાં આવે છે જેના કારણે ગમે ત્યારે લાઇટો બંધ કરવાની નોટીસ આપી દેવામાં આવે છે જેનાથી વૃઘ્ધો અને બાળકો આ અસહ્ય ગરમીમાં ખુબ જ પીડાય છે, કાલાવડ, ખંભાળીયા, લાલપુર, જામજોધપુર, ભાણવડ, કલ્યાણપુર, ધ્રોલ, જોડીયા, ભાટીયા, રાવલ, સલાયા, ફલ્લા સહિતના વિસ્તારોમાં પણ આજ સવારથી ભારે ગરમી જોવા મળી હતી, જો કે ગઇકાલે સાંજે ૪૦ થી ૪૫ કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા રાત્રે ગરમીથી રાહત થઇ હતી, આજે સવારે જામનગરનું વાતાવરણ પણ તડકો અને છાયડો રહ્યું હતું જેને કારણે અત્યારથી જ બફારો શ થયો છે. સાંજ સુધીમાં વધુ ગરમી પડે તેવી શકયતા છે, તા.૭ જુન આસપાસ ચોમાસુ બેસી જશે તેવી હવામાન ખાતાએ અગાઉ આગાહી કરી હતી, પરંતુ ત્યારબાદ અન્ય કોઇ આગાહી આવી નથી, કદાચ ચોમાસુ ૧૧-૧૨ જુન આસપાસ પાછુ ઠેલાય તેવી વિગતો બહાર આવી છે, હાલ તો હાલારમાં ગરમીનું પ્રમાણ વઘ્યું છે.
જામનગરની વાત લઇએ તો છેલ્લા આઠ દિવસથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે, ઘનઘોર વાદળો વચ્ચે ઠંડો પવન ફુંકાઇ રહ્યો છે, ગઇકાલ સાંજથી જ કેટલાક ગામડાઓમાં ભારે પવન સાથે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. આ વખતે જુના મહીનાના પ્રથમ વીકમાં જ ચોમાસુ બેસી જવાની આશા છે ત્યારે ખેડુતો પણ વાવણી કાર્યની તૈ્યારીમાં લાગી ગયા છે, રાજયમાં તેમજ સૌરાષ્ટ્રમાં આ વખતે સા ચોમાસુ જશે અને લગભગ બે અઠવાડીયા વહેલુ ચોમાસુ બેસી જશે, જયારે મોટાભાગના ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા દુર થઇ જશે.