વૈજ્ઞાનિકોએ ૩૦ જોખમી જીવાણુઓની કરી ઓળખ, વિશ્વમાં ફેલાવી શકે છે મહામારી

  • August 08, 2024 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોરોનાના કારણે સર્જાયેલી મારામારીનું દ્રશ્ય આજે પણ આપણા હૃદય અને દિમાગમાં વસેલું છે. તેના ઉપર, ઘણા ખતરનાક સંકેતો છે જે ભયને વધારે છે. વલ્ર્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ૩૦ ખતરનાક વાયરસ અને બેકટેરિયાની યાદી બહાર પાડી છે જે ભવિષ્યમાં મહામારીનું સ્વપ લઈ શકે છે. ૩૦ જુલાઈના રોજ પ્રકાશિત થયેલા એક રિપોર્ટમાં ડબલ્યૂએચઓએ કહ્યું છે કે, વૈજ્ઞાનિકોએ ૩૦ એવા રોગાણુ સુમજીવોનું વિશ્લેષણ કયુ છે જે વિશ્વભરના સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે કટોકટીની સ્થિતિ સર્જી શકે છે અને તે મહામારીનું સ્વપ પણ લઈ શકે છે. વૈજ્ઞાનિકોએ ઘણા પુરાવાઓના આધારે આવો અંદાજ લગાવ્યો છે. આ રોગાણુઓ અત્યતં ખતરનાક છે અને ઝડપથી ફેલાય છે અને લોકોને ઝડપથી ચેપ લગાવી શકે છે. ચિંતાનો વિષય એ છે કે, આમાંના બહત્પ ઓછા વાયરસ માટે રસી ઉપલબ્ધ છે. રોગાણુઓ એટલે કે રોગ પેદા કરતા સૂમજીવો.
ટીઓઆઈ અનુસાર, નેચર જર્નલના રિપોર્ટમાં જણાવાયું છે કે, ૨૦૧૭ અને ૨૦૧૮માં ડબલ્યૂએચઓએ આવા ડઝનેક રોગાણુ શોધી કાઢા હતા. આ માટે, ૨૦૦ થી વધુ વૈજ્ઞાનિકોએ બે વર્ષ સુધી આ રોગાણુઓનું વિશ્લેષણ કયુ. તેમાંથી ૧૬૫૨ રોગાણુની ઓળખ કરવામાં આવી હતી. આમાંના મોટાભાગના વાયરસ હતા યારે કેટલાક બેકટેરિયા પણ હતા. આ રોગાણુમાંથી, ૩૦ની ઓળખ કરવામાં આવી હતી જે રોગચાળો ફેલાવવા માટે તૈયાર છે. એટલે કે આ વાયરસ અથવા બેકટેરિયામાં રોગચાળો ફેલાવવાની ક્ષમતા હોય છે. સંભવિત રોગચાળાની સંભાવના ધરાવતા આ ૩૦ રોગાણુમાં ઈન્ફલ્યુએન્ઝાએ વાયરસ, ડેન્ગ્યુ વાયરસ અને મંકીપોકસ જેવા વાયરસ નવા છે. તાજેતરમાં, અમેરિકામાં ઈન્ફલ્યુએન્ઝા એ વાયરસની ઘણી જાતો મળી આવી હતી, જેમાંથી એચ૫ પેટા પ્રકારે પ્રાણીઓમાં રોગચાળો ફેલાવ્યો હતો. આ યાદીમાં બેકટેરિયાની ૫ નવી જાતોનો પણ સમાવેશ થાય છે જે કોલેરા, પ્લેગ, મરડો, ઝાડા અને ન્યુમોનિયા ફેલાવવા માટે જવાબદાર છે. ભારતમાં તાજેતરમાં મળી આવેલા નિપાહ વાયરસને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે.
નેચર રિપોર્ટ અનુસાર, ડબલ્યૂએચઓએ કેટલાક પ્રોટોટાઇપ રોગાણુઓની પણ ઓળખ કરી છે જે વૈજ્ઞાનિક અભ્યાસ માટે મોડેલ પ્રજાતિ સાબિત થઈ શકે છે અને તેના આધારે રસી વિકસાવી શકાય છે. રિપોર્ટ અનુસાર, દક્ષિણપૂર્વ એશિયામાં જે પેથોજેન્સ સૌથી ખતરનાક સાબિત થવા જઈ રહ્યા છે, તેમાં વિબ્રિઓ કોલેરા ૦૧૩૯, શિંગેલા ડિસ્ટિ્રટ્રી સેરોટાઇપ ૧, હેનિપાવાયરસ નિપાહેન્સ, બેન્ડાવાયરસ ડેબિન્સે, ઓર્થેાલેવિવાયરસ ડેન્ગ્યુ અને ઝીકાવાયરસ અને આલ્ફાવાયરસ ચિકનકુનગુન્યા છે.
ડબ્લ્યુએચઓએ કહ્યું છે કે, અમે માત્ર અર્ધ–રોગચાળો ફેલાવવા માટે સક્ષમ રોગાણુ પર જ નહીં પરંતુ તમામ પ્રકારના સંભવિત પેથોજેન્સ પર સંશોધન કરી રહ્યા છીએ જેથી યારે પડકારજનક સમય આવે ત્યારે તેનો મજબૂતીથી સામનો કરી શકાય અને તેના ફેલાવાને રોકી શકાય. આંતરરાષ્ટ્ર્રીય સ્તરે જાહેર આરોગ્યને મજબૂત બનાવી શકાય છે અને પેથોજેન એકસ નામના અજાણ્યા ખતરા સામે લોકોમાં જાગૃતિ ફેલાવી શકાય છે. પેથોજેન એકસને ભવિષ્યમાં મહામારી ફેલાવનાર જીવાણુના પમાં પણ ઓળખવામાં આવે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application