ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ તથા ગુજકેટની પરીક્ષા પૂરી થયા પછી કોલેજોમાં પરીક્ષાઓ શરૂ થઈ છે અને હવે એકઝામ સિઝનના અંતિમ તબક્કામાં આજથી શાળાકીય પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. શાળાકીય પરીક્ષાઓનો બીજો તબક્કો આગામી તારીખ 16 એપ્રિલથી શરૂ થશે.
ધોરણ 9 અને 11 ની પરીક્ષાનું મોનિટરિંગ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવતું હોય છે. ધોરણ નવ અને 11 ની પરીક્ષા આજથી શરૂ થઈ છે. તારીખ પાંચ જુલાઈ 2024 ના બોર્ડનું શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર નક્કી કરવામાં આવ્યું ત્યારે જ ફાઇનલ થઈ ગયું હતું. આ પરીક્ષાઓ આગામી તારીખ 19 એપ્રિલ સુધી ચાલવાની હતી પરંતુ તેમાં હવે છેલ્લી ઘડીએ ફેરફાર કરાવ્યો છે અને 21 એપ્રિલ સુધી ચાલુ રહેશે.
શિક્ષણ બોર્ડના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ જ્યારે આ પરીક્ષાનું વાર્ષિક કેલેન્ડર નક્કી કરવામાં આવ્યું ત્યારે જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા બાબતે કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી. હવે આ પરીક્ષા તારીખ 12 એપ્રિલના રોજ બપોરે 12 થી 2-30 વાગ્યા દરમિયાન લેવામાં આવશે. રાજ્યભરમાં તમામ જિલ્લા કક્ષાએ યોજનારી આ પરીક્ષાના કારણે આજથી શરૂ થતી ધોરણ નવ અને 11 ની પરીક્ષામાં તારીખ 12 નું પેપર હવે તારીખ 21 ના લેવાનું નિર્ણય કરવામાં આવ્યું છે અને આ બાબતે રાજ્યભરની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જિલ્લા શિક્ષણ અધિકારીઓના માધ્યમથી અગાઉ જાણ કરી દેવામાં આવી છે.
શાળાકીય પરીક્ષાનો બીજો તબક્કો તારીખ 16 એપ્રિલથી શરૂ થશે. ધોરણ 6 થી 8 ની પરીક્ષાના આ તબક્કામાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એક્ઝામ આપશે. પરંતુ આ પરીક્ષાના સંચાલનમાં ક્યાંય માધ્યમિક શિક્ષણ બોર્ડની ભૂમિકા રહેતી નથી. બીજા તબક્કાની પરીક્ષા તારીખ 25 ના પૂરી થશે શાળાકીય પરીક્ષાઓ પૂરી થયા પછી વેકેશન જાહેર કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech