સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીના એડમિશન માટેના આકરા ધોરણોના કારણે મોટી સંખ્યામાં બેઠકો ખાલી રહેતા યુનિવર્સિટીએ હવે પ્રવેશ અંગેના નિયમો વધુ હળવા બનાવ્યા છે. અગાઉ નેટ અને જીસ્લેટ જેવી પરીક્ષાઓ પાસ કરનારને જ એડમિશન આપવાનો નિર્ણય લેવાયો હતો પરંતુ 171 બેઠક ખાલી રહેતા આમાં છૂટછાટ આપવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ચાલુ વર્ષે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નવા ધારા ધોરણ અને ગુજરાત યુનિવર્સિટી કોમન એક્ટ તથા સ્ટેચ્યુટ મુજબ આંકરા નિયમો અપ્નાવ્યા હતા પરંતુ મોટી સંખ્યામાં બેઠકો ખાલી રહેતા છૂટાછાટ આપવામાં આવી રહી છે. ગઈકાલે યુનિવર્સિટીની પીએચડી પરીક્ષા સમિતિની એક બેઠક કુલપતિ કમલસિંહ ડોડીયાના અધ્યક્ષ સ્થાને મળી હતી અને અગાઉના વર્ષોમાં એડમિશન એક્ઝામ પાસ કરનાર વિદ્યાર્થીઓને પણ પીએચડી પ્રવેશ માટે લાયક ગણવાનો નિર્ણય લીધો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પ્રથમ તબક્કામાં માત્ર 55 બેઠક પીએચડીની ભરી શકાય હતી. ખાલી રહેલી 171 બેઠક માટે શું કરવું તે નક્કી કરવા મળેલી બેઠકમાં અગાઉના વર્ષના પ્રવેશ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને લાયક ગણવાનો નિર્ણય કરાયો હતો. પીએસડીમાં સૌથી વધુ બેઠકો શિક્ષણ વિદ્યા શાખામાં 30,કોમર્સ અને હિન્દીમાં 20 -20 સંસ્કૃતમાં 14 બેઠકો ખાલી રહી છે.
પીએચ.ડી. માં કુલ 26 વિવિધ વિષયોની ખાલી રહેલ 171 જગ્યા પર પ્રવેશ આપવા અંગે કુલપતિ ની અધ્યક્ષતામાં મળેલ મીટીંગ માં વિધાર્થીઓના હિતને ધ્યાને લઇ યોગ્ય નિર્ણય કરવામાં આવેલ છે. જે અનુસાર ભૂતકાળમાં નેટ, જીસેટ પાસ કરેલ હોય તેઓ તથા યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષા પાસ કરી હોય અને પરીક્ષાની વેલીડીટી પુરી થઈ ન હોય તેવા વિધાર્થીઓને માત્ર ચાલુ વર્ષ માટે પ્રવેશ માટે લાયક ગણ્યા છે. આ અંગેની વિગતવાર માહિતી આગામી દિવસોમાં યુનિવર્સિટીની વેબસાઈટ પર પીએચ. ડી. પ્રવેશ સમિતિ દ્વારા મુકવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાને બેશરમીની તમામ હદ વટાવી: આતંકવાદીઓને ફ્રીડમ ફાઈટર ગણાવ્યા
April 25, 2025 02:20 PMઅમેરિકામાં એર શો પહેલા વિમાન ક્રેશ, પાઇલોટનું મોત
April 25, 2025 02:16 PMઆઠ વર્ષ જૂના કોમર્શિયલ વાહનો સ્ક્રેપ કરાવનારને આરટીઓના લેણા માફ
April 25, 2025 02:14 PMજામનગરના હાપા બ્રિજ નીચે આવેલ ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ
April 25, 2025 01:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech