ગુજરાત એનસીસી ડાયરેક્ટરેટ વતી જામનગર ગ્રુપ દ્વારા આયોજિત "સૌરાષ્ટ્ર નૌકાયન" અભિયાન સંપન્ન
21 ફેબ્રુઆરીથી 01 માર્ચ 2024 સુધી ચાલેલા આ અભિયાનમાં 75 એનસીસી કેડેટસ્એ ભાગ લઈ પોરબંદરથી દીવ સુધી 247 કિલોમીટરનું અંતર કાપ્યું.
ગુજરાત એનસીસીના વડા દ્વારા દીવમાં આ અભિયાનને સંપન્ન કરાવવામાં આવ્યું.
ગુજરાત દીવ દમણ અને દાદરા નગર હવેલી એનસીસી ડાયરેક્ટ ના નિર્દેશન અનુસાર જામનગર એનસીસી ગ્રુપના નેવી વિંગ દ્વારા પોરબંદરથી દીવ સુધી (MENU ) મોસ્ટ એન્ટરપ્રાઈસીંગ નેવલ યુનિટ અંતર્ગત 21 ફેબ્રુઆરી 2024 થી સૌરાષ્ટ્ર નૌકાયન અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો હેતુ સાહસિકતા, નેતૃત્વ, અનુશાસનના ગુણો વિકસાવવાનો તથા ભારતીય નૌકાદળની ઉત્કૃષ્ટ કામગીરી ની ઝાંખી કરાવવાનો હતો.
ગુજરાત નૌસેના ક્ષેત્રના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ રીઅર એડમિરલ અનિલ જગ્ગી દ્વારા આ અભિયાન ફ્લેગડ ઓફ (પ્રારંભ) કરાવવામાં આવ્યું હતું. આ "સૌરાષ્ટ્ર નૌકાયન"માં ગુજરાતના તમામ નેવી યુનિટ્સ ના 75 એનસીસી કેડેટ, 19 પરમેનેન્ટ ઇન્સ્ટ્રક્ટર સ્ટાફ, 02 (બે )એસોસિએટ એનસીસી ઓફિસર્સ સામેલ થયા હતા. 07 (સાત) ગુજરાત નેવલ યુનિટ એનસીસી વેરાવળ દ્વારા આયોજિત આ બાર દિવસીય અભિયાનમાં સમગ્ર ટીમ દ્વારા આશરે 247 કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમિશન ઇમ્પોસિબલ 8': ટોમ ક્રૂઝના દિલધડક સ્ટંટ દર્શકોને જકડી રાખશે
May 14, 2025 12:05 PMદીપિકા પ્રભાસની ફિલ્મ 'સ્પિરિટ'માં મહત્વનો રોલ અદા કરશે
May 14, 2025 12:00 PMમૂળીનાં ભેટ અને દાધોળીયા ગામેથી ૧૬ ની ખનિજ ચોરી ઝડપાઇ
May 14, 2025 11:57 AMનવયુગ વિદ્યાલય ખાતે દેશી રમતોત્સવના સમર કેમ્પમાં બાળકોને પડી મોજ
May 14, 2025 11:55 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech