ઉનાના ખત્રીવાડા ગામના સરપંચે ૩ કિ.મી.નો રસ્તો સ્વખર્ચે બનાવ્યો

  • February 16, 2024 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉના તાલુકાના ખત્રીવાડા થી  માણેકપુરનો રસ્તો અંદાજે ૩ કિલો મીટરનો આવેલો છે. વર્ષો પહેલા મેટલ રોડ તા નદી ઉપર મનરેગા યોજના અંતર્ગત પુલ બન્યો હતો. પરંતું સમય જતા રસ્તામા ગાંડા બાવળ ઉગી ગયા હતા. અને નદી પરના પુલની બન્ને બાજુ ધોવાણ ઇ ગયું હતું. જેના કારણે બંને ગામના લોકોને ના છુંટકે ૧૫ કિલો મીટર જેટલું અંતર ફરીને એક બીજાના ગામમા જવા મજબૂર બનવું પડતું હતુ.સરકાર દ્વારા નોનપ્લાંન રસ્તો મંજુર યો હતો. પરંતું તે રદ યેલ છે તેમ માર્ગ અને મકાન વિભાગના અધિકારી જણાવેલ તેી બંને ગામના લોકોની સુવિધા માટે ખત્રીવાડા ગામના સરપંચ જીતેન્દ્રભાઇ કાળુભાઇ શિયાળ પોતાના સ્વખર્ચે ૪૦૦ જેટલા માટીના ફેરા જે સી બી, ટ્રેકટર મારફતે નાખીને નદીમા ધોવાઇ ગયેલ પુલની સાઈડોમાં ચાર દિવસ સુઘી સતત જેસીબી મશીનની મદદી માટી નાંખી રસ્તો બનાવી ગ્રામજનો માટે કામ ચાલુવ રસ્તો સરુ કરવામાં આવ્યો છે. જેી બન્ને ગામના લોકોની સમસ્યા હાલ ઈ જતાં ગ્રામજનોમાં ખુશીનો માહોલ ફેલાઈ ગયો હતો. અને ગ્રામજનોએ સરપંચનો આભાર વ્યક્ત કર્યો હતો.તેમજ સરપંચ દ્વારા સોંદરડી ગામની બહાર આવેલ રસ્તો જેમાં ત્રણી ચાર ગામના લોકોની અવર જવર તી હોય છે. તે આ ૩૦૦ મીટર જેટલો રસ્તો અતિ ખરાબ હાલતમા હોવાી લોકોને પારાવાર મુશ્કેલી પડતી હતી. અને આ બાબતે પી ડબલ્યુ ડી કચેરીમા વારંવાર રજૂઆત કરવા છતા આજદિન સુધી કોઈ પણ પ્રકારનુ કામના તા અંતે ખત્રીવાડાના સરપંચ શિયાળ જીતેન્દ્રભાઈ તા સોંદરડી સરપંચ ગોહિલ હામુભાઈ બન્ને મળીને પોતાના સ્વખર્ચે રસ્તો રિપેર કરાવી બન્ને ગામ લોકોની સુખાકારી માટે કાયમી સમસ્યા દૂર કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application