બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર માટે આ દિવસોમાં કંઈ ખાસ નથી ચાલી રહ્યું. તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર કંઈ કમાલ કરી શકતી નથી. તેની અગાઉની ફિલ્મો સતત ફ્લોપ થઈ રહી છે. જેના કારણે ચાહકોને પણ ચિંતા સતાવી રહી છે કે તેમને અક્ષયની સારી ફિલ્મ ક્યારે જોવા મળશે. જ્યાં એક તરફ તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ રહી છે તો બીજી તરફ અક્ષયને વધુ એક ઝટકો લાગ્યો છે. બે મોટા સ્ટાર્સે તેની ફિલ્મો વેલકમ ટુ જંગલ અને હાઉસફુલ 5થી દૂરી લીધી છે. અક્ષયે ગયા વર્ષે તેની બંને ફિલ્મોની જાહેરાત કરી હતી અને હવે સંજય દત્ત અને અનિલ કપૂરે તેને છોડી દીધી છે.
ગયા વર્ષે અભિનેતા દ્વારા અક્ષય કુમારની વેલકમ ફ્રેન્ચાઇઝ વેલકમ ટુ ધ જંગલની જાહેરાત કરવામાં આવી હતી. ફિલ્મની સ્ટારકાસ્ટ પણ ઘણી મોટી છે. અક્ષયે સ્ટાર કાસ્ટ સાથે એક ટીઝર પણ શેર કર્યું છે. સંજય દત્તે હવે આ ફિલ્મ છોડી દીધી છે. અનિલ કપૂર હાઉસફુલ 5થી દૂર થઈ ગયો છે.વેલકમ ટુ ધ જંગલમાં સંજય દત્ત જોવા મળવાનો હતો. તેણે આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું હતું. અક્ષયે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં લખ્યું હતું કે તેણે સંજય દત્ત સાથે શૂટિંગ શરૂ કર્યું છે. બોલિવૂડ હંગામાના અહેવાલ મુજબ, સંજય દત્તે તારીખની સમસ્યાઓના કારણે આ ફિલ્મ છોડી દીધી છે. ફિલ્મ છોડતા પહેલા તેણે અક્ષયને બધી વાત કહી દીધી હતી ત્યારબાદ તેણે તેનાથી દૂરી લીધી હતી. સંજય દત્તે પણ બિનઆયોજિત શૂટ અને સ્ક્રિપ્ટમાં ઘણા ફેરફારોને કારણે ફિલ્મ છોડી દીધી છે.
અક્ષય કુમારની હાઉસફુલ ફ્રેન્ચાઈઝી સુપરહિટ રહી છે. હવે તે હાઉસફુલ 5 લઈને આવી રહી છે. આ ફિલ્મમાં અનિલ કપૂર સ્પેશિયલ રોલ કરવાનો હતો પરંતુ કામ પ્રમાણે ફી ન મળવાને કારણે તેણે ફિલ્મ છોડી દીધી હતી. મિડ ડેના રિપોર્ટ અનુસાર અનિલ કપૂરને એટલી ફી મળી રહી ન હતી જેટલી તેને લાગતી હતી કે તેને મળવી જોઈએ. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તેણે આ ફિલ્મ માટે કેટલી ફી માંગી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech