સામંથાએ ફરી લગ્ન કરશે કે કેમ ? તે સવાલનો આપ્યો આવો જવાબ

  • December 18, 2023 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફેન્સના સવાલ પર અભિનેત્રીના જવાબે મચાવી હલચલ


સામંથા રૂથ પ્રભુએ તેના ફેન્સ માટે તેના શેડ્યૂલમાંથી થોડો સમય કાઢ્યો અને તેમના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. સામન્થાએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર આસ્ક મી એનિથિંગની સ્ટોરી મુકી હતી જ્યાં તેના ચાહકોએ તેના અંગત જીવન વિશે ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. એક ઈન્સ્ટાગ્રામ યુઝરે અભિનેત્રીને પૂછ્યું, 'શું તમે ફરીથી લગ્ન કરવાનું વિચારી રહ્યા છો?'ત્યારે તેનો જવાબ આપવાનું ટાળ્યું હતું. 

સાઉથની જાણીતી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ તેની અંગત અને પ્રોફેશનલ લાઈફને લઈને સતત ચર્ચામાં રહે છે. સામંથા તેના તૂટેલા લગ્ન અને માંદગીને કારણે પણ ચર્ચામાં રહી છે, ત્યારે હવે સામંથા રૂથ પ્રભુએ ફરી લગ્ન કરવા પર પ્રતિક્રિયા આપી છે.

એક ઈન્સ્ટાગ્રામ યુઝરે અભિનેત્રીને પૂછ્યું, ‘શું તમે ફરીથી લગ્ન કરવાનું વિચારી રહ્યા છો?’ ત્યારે આના પર સામંથાએ જવાબ આપ્યો હતો જવાબમાં સામંથાએ છૂટાછેડાના આંકડા સાથે જવાબ આપ્યો અને કહ્યું ‘સૌથી ખરાબ વર્ષ પૂરું થઈ ગયું છે’ ‘આંકડાઓ અનુસાર છૂટાછેડા એ એક ખરાબ રોકાણ છે અને તેમાં એક હસતું ઇમોજી પણ ઉમેર્યું હતું.’ તેણે પોસ્ટમાં છૂટાછેડાનો ડેટા પણ જાહેર કર્યો. સામંથા રુથ પ્રભુએ પુનઃલગ્નની વાત મોકૂફ રાખી છે અને કોઈ જવાબ આપ્યો નથી. પરંતુ અભિનેત્રીએ જે રીતે યુઝરને જવાબ આપ્યો તે લોકોને પસંદ આવી રહ્યો છે.


કેટલાક સારા તો કેટલાક ખરાબ અનુભવ થયા : સામંથા

એવું કહેતા પ્રશંસક સાથે સત્રની શરૂઆત થઈ, અને સામન્થાએ લખ્યું, ‘હું તમારી સાથે સહમત છું’, અને હાર્ટ ઈમોજી ઉમેર્યું. અન્ય એક પ્રશંસકે પોસ્ટ કર્યું, કે ‘આટલા દિવસો, તમે વિચારો છો કે તમે તમારી જાતને જાણો છો તો જીવન તમને કેટલા સરપ્રાઈઝ આપી રહ્યું છે?’ અભિનેત્રીએ જવાબ આપ્યો, ‘કેટલાક સારા, કેટલાક ખરાબ પરંતુ તે જ તમને ખાસ બનાવે છે.’


અન્ય એક ચાહકે પૂછ્યું, ‘શું તમે ચમત્કારોમાં વિશ્વાસ કરો છો?’ અને અભિનેત્રીએ કહ્યું, ‘હા હું કરું છું.’ એક પ્રશંસકે કહ્યું, ‘પછી ભલે, દિવસના અંતે, માત્ર તમે જ મહત્વના છો, તેથી તમારી જાતને પ્રાથમિકતા આપો,’ અને તેનાથી સમન્થાએ કહ્યું, ‘હા. આ દરેક માટે છે!’ એક વ્યક્તિએ પૂછ્યું, ‘આવતા વર્ષ માટે તમે શું પ્રેસેન્ટ કરી રહ્યા છો?’ અને અભિનેત્રીએ કહ્યું, ‘તબિયત સારી છે.’


સામંથા અને નાગા ચૈતન્ય ક્યારે થયા અલગ?

2010માં ફિલ્મ ‘યે માયા ચેસાવે’માં નાગા ચૈતન્ય સાથે કામ કર્યા બાદ સામંથાએ અભિનેતાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. સામંથા અને નાગા ચૈતન્યએ 29 જાન્યુઆરી, 2017 ના રોજ હૈદરાબાદમાં સગાઈ કરી અને તે જ વર્ષે ઓક્ટોબરમાં લગ્ન કર્યા. 2 ઓક્ટોબર, 2021ના રોજ, સામંથા અને નાગા ચૈતન્ય અલગ થઈ ગયા અને છૂટાછેડાની જાહેરાત કરી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application