આ દિવસોમાં એક વ્યક્તિની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. તેનું નામ સલવાન મોમિકા છે. સલવાન એક ઇરાકી નાગરિક હતો જેનો મૃતદેહ સ્વીડનમાં મળી આવ્યો હતો. હકીકતમાં, થોડા દિવસો પહેલા તેણે ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાનની ઘણી નકલો બાળી નાખી હતી. 29 જાન્યુઆરીએ જ્યારે તેમનો મૃતદેહ મળી આવ્યો ત્યારે તેના પર ગોળીઓના નિશાન હતા.
સલવાન મોમિકા એક ભૂતપૂર્વ ઇરાકી લશ્કરી નેતા હતા જે સત્તા સંઘર્ષને કારણે ઇરાક છોડીને ભાગી ગયા હતા. ગયા બુધવારે તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 38 વર્ષીય મોમિકા પર સ્ટોકહોમ નજીક સોડેટેલ વિસ્તારમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો.સ્ટોકહોમ કોર્ટમાં તેની સામેના કેસનો ચુકાદો આવે તે પહેલા જ હત્યા કરી દેવામાં આવી છે. સ્વીડિશ મીડિયા રિપોટ્ર્સ અનુસાર, મોમિકા ટિકટોક પર લાઇવ-સ્ટ્રીમિંગ કરી રહ્યો હતો ત્યારે તેને ગોળી મારી દેવામાં આવી. રોઇટર્સે એક વીડિયો મેળવ્યો છે જેમાં પોલીસ તેનો ફોન છીનવી લેતી અને લાઇવસ્ટ્રીમ બંધ કરતી જોવા મળે છે.વર્ષ 2023માં, તે ઈદના અવસર પર મુસ્લિમ ધાર્મિક ગ્રંથ કુરાનનું અપમાન કરીને સમાચારમાં આવ્યો હતો. સલવાને સ્વીડનની રાજધાની સ્ટોકહોમની સૌથી મોટી મસ્જિદની સામે કુરાનની નકલો સળગાવી હતી.સલવાનનો કુરાન સળગાવવાનો વીડિયો આખી દુનિયામાં વાયરલ થયો. આનાથી ઘણા મુસ્લિમ દેશોમાં આક્રોશ ફેલાયો. આ મામલે સ્ટોકહોમ કોર્ટમાં તેમની સામે કેસ ચાલી રહ્યો હતો, જેના પર ચુકાદો ગુરુવારે આવવાનો હતો, પરંતુ તે પહેલાં બુધવારે તેમનું અવસાન થયું.
સલવાન મોમિકા ખ્રિસ્તી હતો
તેનો જન્મ એક ખ્રિસ્તી પરિવારમાં થયો હતો. તેમનો પરિવાર ઉત્તરી ઇરાકના શહેર તાલ અફારમાં રહેતો હતો. સલવાન મોમિક એક ખ્રિસ્તી હતો જે પાછળથી નાસ્તિક બન્યો. જો કે તેણે પોતાને ભૂતપૂર્વ મુસ્લિમ તરીકે રજૂ કર્યો. તે જે સંગઠન સાથે સંકળાયેલો હતો તે ઇમામ અલી બ્રિગેડ હેઠળ આવે છે. આ સંગઠનની રચના 2014 માં થઈ હતી અને તેના પર યુદ્ધ અપરાધોનો આરોપ મૂકવામાં આવ્યો છે. મોમિકા 2017 માં ઇરાકી શહેર મોસુલની બહાર પોતાનું સશસ્ત્ર જૂથ ચલાવતો હતો . 2018 માં, અન્ય એક ખ્રિસ્તી લશ્કરી જૂથ, બેબીલોનના વડા, રેયાન અલ-કલદાની સાથે સત્તા સંઘર્ષ બાદ, તેને ઇરાક છોડીને ભાગી જવું પડ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech