કેન્દ્ર સરકારે આજે સાંસદોના પગારમાં વધારાની જાહેરાત કરી. ૧ એપ્રિલ, ૨૦૨૩થી સાંસદોને ૧ લાખ રૂપિયાના બદલે ૧.૨૪ લાખ રૂપિયા પગાર મળશે. સરકાર દ્વારા સાંસદોના પેન્શન અને ભથ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
આ ફેરફારો સંસદ સભ્યોના પગાર, ભથ્થાં અને પેન્શન અધિનિયમ, ૧૯૫૪ દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને કરવામાં આવ્યા છે અને તે આવકવેરા અધિનિયમ, ૧૯૬૧માં ઉલ્લેખિત ખર્ચ ફુગાવાના સૂચકાંક પર આધારિત છે. 5 વર્ષ પછી સાંસદોના પગારમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, આ પગાર વધારો ફક્ત 1 એપ્રિલ, 2023થી લાગુ થશે. આ નિર્ણય પહેલા સાંસદોનું પેન્શન 25,000 રૂપિયા હતું, જે હવે વધારીને 31,000 રૂપિયા કરવામાં આવ્યું છે. તેવી જ રીતે, બે કે ત્રણ વખત સાંસદ રહી ચૂકેલા લોકોનું વધારાનું પેન્શન 2000 રૂપિયાથી વધારીને 2500 રૂપિયા કરવામાં આવ્યું છે.
2018માં પગાર અને ભથ્થામાં સુધારો કરવામાં આવ્યો હતો
સંસદના વર્તમાન બજેટ સત્ર દરમિયાન સાંસદોના પગાર, ભથ્થાં અને પેન્શનમાં સુધારાની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ એપ્રિલ 2018માં, વર્તમાન અને ભૂતપૂર્વ સાંસદોને આપવામાં આવતા પગાર અને ભથ્થામાં સુધારાની જાહેરાત કરવામાં આવી હતી. 2018માં સુધારામાં જાહેર કરાયેલ સાંસદોનો મૂળ પગાર દર મહિને 1,00,000 રૂપિયા હતો.
2018ના સુધારા મુજબ, સાંસદોને તેમના કાર્યાલયોને અદ્યતન રાખવા અને તેમના જિલ્લાઓમાં મતદારો સાથે વાતચીત કરવા માટે મતવિસ્તાર ભથ્થા તરીકે 70,000 રૂપિયા મળે છે. આ ઉપરાંત, તેમને દર મહિને ઓફિસ ભથ્થા તરીકે 60,000 રૂપિયા અને સંસદીય સત્રો દરમિયાન દૈનિક ભથ્થા તરીકે 2,000 રૂપિયા મળે છે. આ ભથ્થાઓમાં પણ હવે વધારો કરવામાં આવશે.
લોકસભામાં હાલમાં 543 સાંસદો છે. એ તમામનો મહિને 24 હજારનો પગાર વધારો ગણો તો 1 કરોડ 30 લાખ 32 હજારનો બોજો આવે. એ હિસાબે વર્ષના 15 કરોડ 63 લાખ 84 હજાર સરકારી તિજારીમાંથી પગાર જાય. એવી રીતે રાજ્યસભાના 245 સાંસદોનો મહિને 24 હજાર પગાર વધારો ગણો તો મહિને 58 લાખ 80 હજારનો બોજો આવે. રાજ્યસભાના સાંસદોના પગારનો વાર્ષિક બોજો 7 કરોડ 5 લાખ 44 હજાર થાય. લોકસભા અને રાજ્યસભાના સાંસદો મળીને 788 સાંસદો થાય છે. આ તમામને એપ્રિલ 2023થી પગાર વધારો આપી દેવાશે. એટલે બે વર્ષના 45 કરોડ 38 લાખ 88 હજાર એરિયર્સ ચૂકવાશે.
સાંસદોને બીજી કઈ સુવિધાઓ મળે છે?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળાની શરૂઆતમાં ગુજરાતમાં 63 જળાશયોમાં 30 ટકાથી ઓછું જળસ્તર
March 26, 2025 12:58 PMજામનગરની બજારમાં પીળા તરબૂચની છે બોલબાલા...
March 26, 2025 12:42 PMજામનગરમાં બંધ મકાનમાં ચોરી કરનાર તસ્કર ઝડપાયો, ૪.૨૯ લાખનો મુદ્દામાલ કબજે
March 26, 2025 12:38 PMજામનગરમાં અંબર ચોકડીથી ડીકેવી સર્કલ સુધીના રોડ પર ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા
March 26, 2025 12:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech