વિદાય એ આનંદ અને ગર્વની લાગણી છેઃ વાઇસ પ્રિન્સિપાલ લેફ્ટનન્ટ કર્નલ હરજોત કૌર
તાજેતરમાં જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ધોરણ 12 નાં કેડેટ્સને વિદાય આપવા માટે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત કોક હાઉસ - શિવાજી હાઉસ દ્વારા પ્રસ્તુતિથી થઈ હતી. શિવાજી હાઉસના હાઉસ કેપ્ટન કેડેટ રોમિલ ગાડિયાએ તેમના હાઉસની સિદ્ધિઓ પર ગર્વ વ્યક્ત કર્યો હતો. શિવાજી હાઉસના હાઉસ માસ્ટર આર.જે. મકવાણાએ આ પ્રસંગે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે વક્તવ્ય આપ્યું હતું. કેડેટ શિવમ ગાવર અને કેડેટ જય માણેકની સંગીતમય જોડી, કેડેટ આર્યરાજ અને કેડેટ કૃષ્ણ દ્વારા કવિતા અને ધોરણ-11 નાં કેડેટ્સ દ્વારા આઉટગોઇંગ ધોરણ-12 ને સમર્પિત સમૂહ નૃત્ય પ્રદર્શને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ તકે શાળામાં તેમની શૈક્ષણિક સફરના એક મહત્વપૂર્ણ પ્રકરણના અંતના ચિહ્ન તરીકે ધોરણ-12 ના વિદાય લેતાં વિદ્યાર્થીઓ માટે કેક કાપવાનો સમારોહ પણ યોજાયો હતો. આઉટગોઇંગ બેચનું પેન પિક્ચર પ્રદર્શિત કરવામાંઆવ્યું હતું અને તેમના દ્વારા રેમ્પ વોક કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે કાર્યાલયના શિલાન્યાસનો સમારોહ પણ યોજાયો હતો, જેમાં સિનિયરોએ તેમની જવાબદારીઓ જુનિયરોને સોંપી હતી. વાઇસ પ્રિન્સિપાલ લેફ્ટનન્ટ કર્નલ હરજોત કૌરએ તેમના ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો કે, વિદાય એ આનંદ અને ગર્વની લાગણી છે. તેમણે વિવિધ પ્રસંગોએ ધોરણ-12 ના કેડેટ્સ સાથેના તેમના અનુભવો અને વાર્તાલાપની યાદો શેર કરી હતી. તેમણે કેડેટ્સને આ શાળામાં શીખેલા શિસ્ત, મૂલ્યો અને સહાનુભૂતિના પાઠ જીવનમાં લેવા અને હંમેશા શ્રેષ્ઠતા માટે પ્રયત્નશીલ રહેવાનો નિર્દેશ આપ્યો હતો.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થી પ્રતિનિધિઓ દ્વારા પ્રેરણાદાયી ભાષણો પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં તેમના અનુભવો, શીખેલા પાઠ અને ભવિષ્ય માટેના દ્રષ્ટિકોણ શેર કરવામાં આવ્યા હતા. સ્કૂલ કેપ્ટન કેડેટ હર્ષિતે તેમના ભાષણ દ્વારા પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી, જ્યારે શિવાજી હાઉસના કેડેટ રમને તેમના દ્વારા લખાયેલ એક સુંદર હિન્દી કવિતા દ્વારા શાળા અને સ્ટાફ પ્રત્યેની તેમની યાદો અને ભાવનાઓ શેર કરી હતી. ટાગોર હાઉસના કેડેટ અમન કુમારને આ ખાસ દિવસે ‘મિસ્ટર એલિગન્ટ બાલાચડિયન’ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય કર્નલ શ્રેયશ મહેતાએ ધોરણ-12 ના કેડેટ્સને સ્મૃતિચિહ્નો અર્પણ કર્યા હતા. તેમણે પોતાના ભાષણમાં ટોડ હેનરી દ્વારા લખાયેલ પુસ્તક ‘ડાઇ એમ્પ્ટી’માં પ્રતિબિંબિત સંદેશ શેર કર્યો કે, કેડેટે હંમેશા બાહ્ય વિશ્વમાં ભલાઈ પહોંચાડવી જોઈએ. તેમણે કહ્યું હતું કે, તમારાં વિચારો, તમારી પસંદગીઓ બનાવશે અને જેવી તમારી પસંદગી હશે તેવા તમે બની શકો, તેથી સમજદારીપૂર્વક અને હિંમતભેર પસંદગી કરો.
તેમણે વિદાય લેનારા બેચને મોબાઇલનો ઉપયોગ કરતી વખતે ખૂબ કાળજી રાખવાની અને હંમેશા સચેત રહેવાની અને તેમના આગામી કોલેજ જીવનમાં સારી બાબતોને આત્મસાત કરવા માટે તૈયાર રહેવાની અને મિત્રોને સમજદારીપૂર્વક પસંદ કરવાની સલાહ આપી હતી. પ્રિન્સિપાલે તેમના ભાષણનું સમાપન ચાર પ્રેરણાદાયી અક્ષરો ‘એચઓપીઈ’ (ઓનેસ્ટી, ઓબેડીયન્સ, પંકચૂલિટી અને એક્સિલેન્સ) સાથે કર્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે, કેડેટસ જ્યાં પણ હોય ત્યાં પોતાના પ્રત્યે પ્રમાણિક, આજ્ઞાપાલન અને સમયપાલન ધરાવતો હોવો જોઈએ, અને હંમેશા પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ બનવાનો પ્રયાસ કરવો જોઈએ. આ કાર્યક્રમનું સમાપન શાળાના વાઇસ કેપ્ટન કેડેટ દીક્ષાંતે આભારવિધિ સાથે કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech