નવા થોરાળામાં સગીરાનો ફિનાઈલ પી આપઘાત કર્યો, દીકરીને પડોશી યુવક એકાદ વર્ષથી હેરાન હોવાનો પરિવારનો આક્ષેપ

  • May 30, 2025 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના નવા થોરાળામાં રહેતી 17વર્ષીય સગીરાએ ફિનાઈલ પી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. સગીરાના આપઘાત પાછળ પડોશી શખસ હેરાન કરી ત્રાસ આપતો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કરતા થોરાળા પોલીસ દોડી ગઈ હતી.


ફિનાઈલ પી લેતા  સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી

પ્રાપ્ત વિગત મુજબ નવા થોરાળામાં મેઈન રોડ પર પાણીની કુઇ પાસે રહેતી ક્રિષ્ના જેન્તીભાઇ સોંદરવા (ઉ.વ.17)એ ગત તા.28ના રાત્રીના સાડા આઠેક વાગ્યે ઘરે હતી ત્યારે ફિનાઈલ પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. દરમિયાન ગઈકાલે મોત નિપજતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોચી જરૂરી કાર્યવાહી કરી હતી.


સગીરા ધો.11નો અભ્યાસ પૂરો કરી ધો.12માં આવી હતી

આપઘાત કરનાર સગીરા ધો.11નો અભ્યાસ પૂરો કરી ધો.12માં આવી હતી. એક ભાઈ બે બહેનમાં મોટી હતી. તેણીના પિતાનું ચાર વર્ષ પહેલા અવસાન થઇ જતા માતાએ બીજા લગ્ન કરી લેતા સગીરા ભાઈ ભાંડુઓ સાથે કાકા ભકાભાઈ અને ફઈ સોનલબેન સાથે રહેતી હતી. કાકા અને ફઈએ પોલીસ સમક્ષ આક્ષેપ કર્યા હતા કે, દીકરીને પડોશી યુવક એકાદ વર્ષથી હેરાન પરેશાન કરતો હોય જેના ત્રાસથી કંટાળી પગલું ભર્યું છે. પોલીસે આક્ષેપોના પગલે આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application