જામનગરના સર્કિટ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનના પગલે પી.એમ.ઓ. ઓફિસના એસ.પી.જી. આર. આર. ભગતનું આગમન

  • February 22, 2024 01:47 PM 

રાજકોટ રેન્જના આઈ.જી. જામનગરના એસ.પી. સહિતના અધિકારીઓને સાથે રાખીને સમગ્ર સર્કિટ હાઉસ પરિસરની ચકાસણી


ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૨૪ ફેબ્રુઆરીએ જામનગરના મહેમાન બનશે, અને સર્કિટ હાઉસમાં તેઓના રાત્રે રોકાણનો કાર્યક્રમ યોજાયો છે, ત્યારે સમગ્ર સર્કિટ હાઉસ પરિસર, અને તેના આસપાસના વિસ્તારમાં સજ્જડ સુરક્ષા પહેરો ગોઠવી દઇ સમગ્ર વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.


પી.એમ.ઓ. ઓફિસના એસ.પી.જી.ના આઈ. જી. આર. આર. ભગતનું આજે જામનગરમાં આગમન થયું હતું, અને તેઓએ સર્કિટ હાઉસ પરિસરમાં સમગ્ર વ્યવસ્થા નું નિરીક્ષણ કર્યું હતું. આવેળા એ તેઓની સાથે રાજકોટ રેંજના આઈજીપી અશોકકુમાર યાદવ, જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ તથા અન્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથો સાથ જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી તથા મહાનગરપાલિકાના અન્ય અધિકારીઓ ફાયર શાખાની ટીમ વગેરે દ્વારા પણ સ્થળ પર નિરીક્ષણ કરીને જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application