રાજકોટ રેન્જના આઈ.જી. જામનગરના એસ.પી. સહિતના અધિકારીઓને સાથે રાખીને સમગ્ર સર્કિટ હાઉસ પરિસરની ચકાસણી
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૨૪ ફેબ્રુઆરીએ જામનગરના મહેમાન બનશે, અને સર્કિટ હાઉસમાં તેઓના રાત્રે રોકાણનો કાર્યક્રમ યોજાયો છે, ત્યારે સમગ્ર સર્કિટ હાઉસ પરિસર, અને તેના આસપાસના વિસ્તારમાં સજ્જડ સુરક્ષા પહેરો ગોઠવી દઇ સમગ્ર વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
પી.એમ.ઓ. ઓફિસના એસ.પી.જી.ના આઈ. જી. આર. આર. ભગતનું આજે જામનગરમાં આગમન થયું હતું, અને તેઓએ સર્કિટ હાઉસ પરિસરમાં સમગ્ર વ્યવસ્થા નું નિરીક્ષણ કર્યું હતું. આવેળા એ તેઓની સાથે રાજકોટ રેંજના આઈજીપી અશોકકુમાર યાદવ, જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ તથા અન્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથો સાથ જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી તથા મહાનગરપાલિકાના અન્ય અધિકારીઓ ફાયર શાખાની ટીમ વગેરે દ્વારા પણ સ્થળ પર નિરીક્ષણ કરીને જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech