પોલીસ દ્વારા તબીબોની પેનલ મારફતે પોસ્ટ મોર્ટમ કરાવાયું: પડી જવાના કારણે ઈજા થયાનું પ્રાથમિક તારણ
જામનગરમાં શાકમાર્કેટ નજીકના વિસ્તારમાંથી રવિવારે બપોરે એક યુવાનનો મૃતદેહ રહસ્યમય સંજોગોમાં મળી આવતા ભારે દોડધામ થઈ છે. પોલીસ દ્વારા તબીબોની પેનલ મારફતે પોસ્ટ મોર્ટમ કરાવાયું છે. જયારે પડી જવાના કારણે મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ નીકળ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સુમરા ચાલી વિસ્તારમાં ઊનની કંદોરી પાસે રહેતો અને ભંગારની ફેરી કરતો મહેશભાઈ રાજુભાઈ છૂવાર નામનો ૩૮ વર્ષનો યુવાન રવિવારે બપોરે શાક માર્કેટ નજીકના વિસ્તારમાંથી બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો.
સૌપ્રથમ ૧૦૮ ની ટીમને ઘટના સ્થળે બોલાવતાં તેણે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. જેથી પોલીસ દ્વારા મૃતદેહને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો, અને ત્યાં તબીબોની પેનલ મારફતે તેનું પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે.
પોલીસ દ્વારા પ્રાથમિક દ્રષ્ટિએ ઠેંસ વાગવાથી પડી જવાના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું અનુમાન લગાવ્યું છે. જોકે સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ ચલાવાઈ રહી છે, અને તેનું ક્યાં સંજોગોમાં મૃત્યુ નીપજયું છે, તે અંગે પોસ્ટમોટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં પીળું તરબૂચ ક્યાંથી આવ્યું? જાણો તેના અદ્ભુત સ્વાસ્થ્ય લાભો
May 14, 2025 04:49 PMઆ 5 વસ્તુઓ ભૂલથી પણ ઠંડી ન ખાવી જોઈએ, સ્વાસ્થ્ય પર કરી શકે છે ખરાબ અસર
May 14, 2025 04:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech