લોકસભાની રાજકોટ બેઠકના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ આજે સવારે જાગનાથ મહાદેવ સમક્ષ શિશ જુકાવી દર્શન, પૂજન- અર્ચનનો લાભ લીધા બાદ પદયાત્રા કરી હતી. જાગનાથ મંદિરથી શરૂ થયેલી આ પદયાત્રા બહુમાળી ભવન સુધી કાઢવામાં આવી હતી અને તેમાં ભાજપ્ના ટોચના નેતાઓ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.
બહુમાળી ભવન ખાતે વિજય વિશ્વાસ સંમેલન યોજવામાં આવ્યું હતું અને તેમાં કણર્ટિકના પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ભાનુબેન બાબરીયા ભાજપ્ના પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ બોઘરા સંસદ સભ્યો મોહનભાઈ કુંડારીયા રામભાઈ મોકરીયા કેસરીદેવસિંહ ઝાલા ધારાસભ્યો ઉદયભાઇ કાનગડ રમેશભાઈ ટીલાળા ડોક્ટર દર્શિતાબેન શાહ પૂર્વ મેયર ધનસુખભાઈ ભંડેરી નીતિનભાઈ ભારદ્વાજ પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ યુવા ભાજપ મોરચાના કિશનભાઇ ટીલવા પૂર્વ મેયર પ્રદીપભાઈ ડવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
બહુમાળી ભવન ખાતે એક કલાકથી વધુ સભા ચાલુ રહી હતી અને તેને ભાજપ્ના જુદા જુદા આગેવાનોએ સંબોધીને રૂપાલા ને વિજેતા બનાવવા માટે કાર્યકરોને દિવસ રાત જોયા વગર પરિશ્રમની પરાકાષ્ઠા સજીર્ પાંચ લાખથી વધુ મતની લીડ થી વિજેતા બનાવવા આવહાન કર્યું હતું.
સભા પૂરી થયા પછી ભાજપ્ના પાંચ આગેવાનો ત્રણ મોટરમાં ઉમેદવારી પત્રક કલેક્ટર સમક્ષ રજૂ કરવા નીકળ્યા હતા અને ફોર્મ ભર્યું હતું. જાગનાથ મંદિર, પદયાત્રાના રૂટ સભાના સ્થળ અને કલેકટર કચેરીએ મજબૂત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAC Tips: મે મહિનામાં કેટલા તાપમાને ચલાવવું જોઈએ AC, 18, 22 કે 24 ડિગ્રી?
May 14, 2025 10:22 PMકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech