રાંચી-સાસારામ ઇન્ટરસિટીમાં આગ લાગ્યાની અફવા ફેલાવાની વાત સામે આવી હતી. જેને લઈને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને પોતાની જાન બચાવવા માટે ટ્રેનમાંથી નીચે કૂદી ગયા હતા. જેમાં ત્રણ લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. જ્યારે કેટલાક ઘાયલ થયાની વાત પણ સામે આવી છે.
બરકાકાના બરવાડીહ રેલ્વે વિભાગ હેઠળ કુમંડીહ રેલ્વે સ્ટેશન નજીક એક ટ્રેન અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત અને ઘાયલ થયાના અહેવાલ છે. આ દુર્ઘટના લાતેહાર રેલ્વે સ્ટેશનથી 14 કિમી આગળ કુમંડીહ રેલ્વે સ્ટેશન પાસે બની હતી. રાંચીથી સાસારામ જતી ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોમાં આગની અફવા ફેલાઇ હતી. ટ્રેનની સ્પીડ ઓછી થતાં મુસાફરોએ ટ્રેનમાંથી છલાંગ લગાવી દીધી હતી.
આ રીતે સર્જાયો અકસ્માત
આ માહિતી બાદ ટ્રેનની સ્પીડ ત્યારે જ ઘટી હતી જ્યારે કેટલાક લોકો ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. ત્યારે સામેથી આવતી માલગાડીની ટક્કરથી ત્રણ લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. મૃતકોમાં ત્રણ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જેમાં બે પુરૂષ અને એક મહિલાનો સમાવેશ થાય છે.
મૃતક મુસાફરોમાંથી બેની ઓળખ ડાલટનગંજના રહેવાસી નંદલાલ શુક્લા અને રોહતાસ જિલ્લાના નસરીગંજના હરિહરગંજ ગામની રહેવાસી મંજુ દેવી તરીકે થઈ છે.
મૃત્યુઆંક વધવાની પણ આશંકા છે. અકસ્માત બાદ ટ્રેનને કુમંડી સ્ટેશનથી 21:42 વાગ્યે રવાના કરવામાં આવી હતી. મહત્વનું છે કે કુમંડીહ સ્ટેશન ધનબાદ ડિવિઝન હેઠળ આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech